ઉપલેટા: સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે નહિંવત વરસાદ પડ્યો છે. જેને કારણે ઉપલેટા તાલુકાના મોટાભાગના ગામોમાં ખેડૂતોની સ્થિતિ અંત્યંત દયનિય બની છે.
ખેડૂતોની માગ છે કે મોટી-પાનેલી ગામમાં આવેલા કુલઝર ડેમ માંથી પિયતનું પાણી પુરૂ પાડવામાં આવે. 6 ગામો પૈકી 600 જેટલા ખેડૂતોએ અંદાજીત 800 હેક્ટરમાં ઉભા પાકનું વાવેતર કર્યું હતું.
જોકે વરસાદ ન આવવાને કારણે પાક મુરઝાઈ જતા ખેડૂતોએ હવે આ દિશામાં પિયત પુરતું પાણી આપવાની માગ ઉચ્ચારી છે. કુલઝર ડેમમાં હાલ 42 ફૂટ જેટલું પાણી છે અને આ ડેમ દ્વારા જો પિયત માટે પાણી આપવામાં આવે તો ઉભા પાકને નવું જીવનદાન મળી શકે છે.
આ મામલે ખેડૂતોનો આરોપ છે કે તંત્ર મિલીભગ અને સરકારની અનદેખાઈને કારણે તેઓ મુજવણમાં મુકાયા છે. ડેમના સત્તાધિશો માછીમારી કરવા માટે માછીમારોને સહાય કરે છે .જોકે પીયતનું પાણી આપવા માટે આનાકાની કરે છે.
હાલ તો આ અહેવાલ ખેડૂતોને પડી રહેલી હાલાકીને લઈ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે ખેડૂતોને અહેવાલ પ્રસિદ્ધ થયાં બાદ પાણી મળે છે કે કેમ ?