ગુજરાતના ખેડૂતોની સમસ્યાને લઇને દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોની સમસ્યાના હલ અને ખેડૂતોની આવક વધારવાને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં રાયડાની ટેકાના ભાવે ખરીદી 30 જૂન લંબાવવામાં આવશે. રાજ્યના ખેડૂતોની સમસ્યાને લઈ મુખ્યમંત્રીની દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય કૃષિમંત્રી તોમર સાથે ખેડૂતલક્ષી બાબતો પર મંત્રણા થઇ હતી.
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરસોત્તમ રૂપાલા, કૃષિમંત્રી આર.સી. ફળદુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. ખેડૂતોની પડતર બાબતો ઉકેલવાની કેન્દ્રીય કૃષિ મંત્રીએ બાહેધરી આપી હતી.
સહકારી-રાષ્ટ્રીયકૃત બેંકોને ઇન્ટરેસ્ટ સબવેન્શન તાત્કાલિક આપવામાં આવશે. પેન્ડીંગ કલેઇમ્સ અંગે પણ કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે ચર્ચાઓ કરવામાં આવી છે. ખેડૂતોની આવક વધારવા કૃષિ કલ્યાણ માટે સંયુક્ત પગલા લેવામાં આવશે. કિસાન કલ્યાણ નિધિ યોજના, ફસલ બીમા યોજના અંગે પણ ચર્ચા થઇ છે.
મહત્વનું છે કે આજે દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ બેઠકમાં પીએમ મોદીએ વર્ષ 2014 સુધી દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડૉલર એટલે કે 34,93,000 કરોડ રૂપિયા સુધી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમએ રાજ્યના મુખ્યમંત્રીઓને સંબોધિક કરતા કહ્યું કે લક્ષ્ય પડકાર રૂપ ભલે હોય, પરંતુ રાજ્ય સરકારોની મહેતનથી હાંસલ કરી શકાય છે.