ગુજરાત સરકાર માટે હમણાં કપરાં ચઢાણ છે. એક પછી એક મુસિબતો સરકારનો કેડો નથી મૂકતી ત્યાં હવે પૂર્ ધારાસભ્યો પણ સરકાર સામે મોરચો બાંધવાની જાહેરાત કરી રહ્યા છે. પેન્શન ન મળતા ગુજરાતના ધારાસભ્યોએ ધરણા કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના પૂર્વ ધારાસભ્યો જ સરકારી તંત્રની કામગીરીથી નારાજ
27 જાન્યુઆરીના પૂર્વ ધારાસભ્યો કરશે પ્રતીક ઉપવાસ
450થી વધુ ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે કાઉન્સિલ
ગુજરાતના પૂર્વ ધારાસભ્યો સરકારી તંત્રની કામગીરીથી નારાજ થયા છે. પેન્શન ન મળતા ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ ધરણા કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વ ધારાસભ્યોની પેન્શનની રજૂઆતો થયા બાદ પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી હવે પૂર્વ ધારાસભ્યોએ પેન્શનને લઈને ધરણા કરવાનો નિર્ણય લીધો છે.
450થી વધુ ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે કાઉન્સિલ
પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની બેઠકમાં ધરણા કરવાનો નિર્ણય લેવાયો છે. પેન્શન-તબીબી સારવારના લાભ, વર્તમાન ધારાસભ્યોને અપાતા લાભની પૂર્વ ધારાસભ્યોએ માગ કરી છે.. આગામી 27 જાન્યુઆરીના રોજ પૂર્વ ધારાસભ્યો પ્રતિક ઉપવાસ પર ઉતરશે. 450થી વધુ ધારાસભ્યોનું કાઉન્સિલ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. કાઉન્સિલનો 27 રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને લાભ મળે છે.
શું છે માંગણીઓ
સરકાર સમક્ષ પડતર માંગણી છે કે, રૂ.10થી રૂ.20 હજારનું પેન્શન આપવામાં આવે. જે લોકસભાના સભ્યને આપવામાં આવે છે તે નીતિ પ્રમાણે આપવામાં આવે. સરકારે લોકસભાના ધોરણે મહિને રૂ.10 હજારથી રૂ.20 હજાર પ્રમાણે પેન્શન આપવું જોઈએ. લોકસભાના પૂર્વ સભ્યને 1991થી પેન્શન આપવામાં આવી રહ્યું છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ નહીં ? આ માટે વર્ષે રૂ.10થી 20 કરોડનો બોજ વર્ષે પડે છે. બીજી માંગણી મફત દવાની માંગણી, 20 હજાર કિમીની રેલ્વેની મફત મુસાફરી, એસ ટીમાં મફત મુસાફરી જેવા માંગણી તો છે જ.
એક તરફ એવી પણ માંગ ઉઠી રહી છે કે, સાલિયાણા બંધ થયા તો આ પેન્શન બંધ ન કરી શકાય?
તો રાજાઓના સાલીયાણા કેમ બંધ કર્યા જો પૂર્વ રાજાઓના સાલીયાણા બંધ થઈ શકતાં હોય તો પછી પૂર્વ ધારાસભ્યોને કઈ રીતે પેન્શન આપી શકાય ? એવો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવી રહ્યો છે. નેશનલ કાઉન્સિલના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનીચાએ પેન્શન તથા અન્ય સવલતો અન્ય રાજયોની જેમ ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને મળે તે માટે પહેલી માંગણી કરી ત્યારે પણ આ જ સવાલ સામે આવ્યો હતો. કે સરદાર પટેલે જેમના માટે સાલીયાણા આપવાનું વચન આપ્યું હતું તે બંધ કરી દેવામાં આવ્યું હતું.
1997થી પેન્શનની માંગણી
1997માં કાઉન્સિલની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગણી હંમેશ થતી રહી છે. તેનો ગુજરાતના લોકો વિરોધ કરતાં આવ્યા છે. શંકરલાલ ગુરુએ પેન્શનને ધારાસભ્યનો હક્ક તરીકે ગણ્યો હતો. પ્રથમ વિધાનસભામાં નડિયાદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યપદ મટી ગયા પછી કાઉન્સિલના સભ્ય બન્યા હતા અને તેઓ નિવૃત્તિ વેતનની વિરૂદ્ધમાં હતા. એમણે તો તેના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં બે વાર જાહેર ઉપવાસ કર્યા હતા. પેન્શન માંગનાર અને તેના વિરોધ કરનારા એક જ પક્ષના હતા. જે પક્ષ ભાઈકાકાનો સ્વતંત્ર પક્ષ હતો. હવે તો ભાજપ, કોંગ્રેસ અને બીજા પક્ષના ધારાસભ્યો નિવૃત્તિ વેતન માટે માંગણી કરી રહ્યા છે.