ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ગુજરાતના 7માં મુખ્યમંત્રી હતા
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન
94 વર્ષથી વયે લીધા અંતિમ શ્વાસ
માધવસિંહ સોલંકી ગુજરાતના 7માં મુખ્યમંત્રી હતા
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ રાજ્યના 7માં મુખ્યમંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી રાજ્યમાં 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ પોતાની ખામ થિયેરીને લઇને પ્રખ્યાત હતા. ખામ થિયેરીના આધારે વિધાનસભામાં સૌથી વધુ બેઠક મેળવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે. તેઓએ પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.
માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે, ગુજરાતમાં ઐતિહાસિક સૌથી વધુ 40.18 ટકા વિકાસદર તેઓના શાસનમાં રહ્યો હતો. તેઓએ ખેત મજુરોના દૈનિક વેતનમાં વધારો કરી લઘુત્તમ વેતનનો આરંભ કર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી કોંગ્રેસના કદ્દાવર નેતા છે. માધવસિંહ સોલંકીના સરકારના સમયગાળામાં SEBC અનામતની શરુઆત થઇ હતી.
માધવસિંહ સોલંકી 1973-1975-1982-1985માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. પૂર્વ CM માધવસિંહ સોલંકીએ ગુજરાત સમાચારમાં નોકરી કરી હતી.
માધવસિંહ સોલંકી 1957માં મુંબઇના ધારાસભ્ય બન્યા હતા. ત્યાબાદ ગુજરાત અલગ રાજ્ય બનતા રાજ્યની ધારાસભામાં આવ્યાં. રાજ્યમાં મફત કન્યા કેળવણી પણ માધવસિંહ સોલંકીના શાસન દરમિયાન શરુ થઇ.
કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંલ સોલંકી દ્વારા દેશભરમાં મધ્યાહ્ન ભોજનની શરુઆત કરાવી. જેના દ્વારા ગરીબ બાળકોને સ્કૂલોમાં ભોજન આપવાનું શરુ કરવામાં આવ્યું. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ જિલ્લા-પછાત વિસ્તારોમાં GIDCઓ સ્થાપી.
Shri Madhavsinh Solanki Ji was a formidable leader, playing a key role in Gujarat politics for decades. He will be remembered for his rich service to society. Saddened by his demise. Spoke to his son, Bharat Solanki Ji and expressed condolences. Om Shanti.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓએ ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેઓને સમાજમાં મહત્વનું યોગદાન આપવા માટે યાદ કરવામાં આવશે. પીએમ મોદીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ આ દુઃખ અવસર પર માધવ સિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી સાથે ફોન પર વાત કરી અને પોતાની સંવેદના વ્યક્ત કરી.