ગુજરાતમાં કોરોનાનો ભરડો હવે આ પૂર્વ મંત્રીનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયુ છે.
પૂર્વ રાજ્યમંત્રીનો પરિવાર કોરોનાગ્રસ્ત
વસુબેન ત્રિવેદી અને તેના પરિવારજનોને કોરોના
તમામને કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા
જામનગરમાં પૂર્વ રાજ્યમંત્રીનો વસુબેન ત્રિવેદી અને તેના પરિવારના સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. તમામને સારવાર માટે તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વસુબેનના પતિ, દિકરો અને પુત્રવધૂને પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
સુરતમાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
સુરતમાં નાના વરાછાની શાળાના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે. ધોરણ 7ના 5 વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થયા છે. જેને પરિણામે પ્રાથમિક વિભાગ 14 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.
3 વિધાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વડોદરાની આનંદ વિધા વિહાર સ્કુલના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. 3 વિધાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલ એક સપ્તાહ માટે બંધ કરાઇ છે. ગોત્રી વિસ્તારમાં આવી છે આનંદ વિધા વિહાર શાળામાં વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે.
નવા 86 ઘરોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા
અમદાવાદમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી છે. ચૂંટણી બાદ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે શહેરમાં કોરોનાના 117 કેસ નોંધાયા છે. ગોતા, બોડકદેવ, થલતેજ, જોધપુર વિસ્તારમાં કેસ વધ્યા છે. નવા 86 ઘરોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે અને આજથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કીનિંગની કામગીરી હાથ ધરાશે.
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો
એક દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 475 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાથી 358 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે રાજ્યમાં કોરોનાથી એક દિવસમાં 1નું મૃત્યુ થયુ છે. ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસ 2 હજાર 638 છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 2 લાખ 71 હજાર 245 નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 હજાર 412 થયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 2 લાખ 64 હજાર 195 છે.