ગુજરાતનો વિકાસ ધીરેને ધીરે હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે કુપોષિત બાળકોની સંખ્યા મામલે પણ વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં 1.42 લાખ બાળકો કુપોષિત છે. ત્યારે સરકાર દ્વારા પોષિત ગુજરાત માટે માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ, બાલશક્તિને નામે લોલમ લોલ ચલાવવામાં આવી રહી છે. પોષણક્ષણ આહાર ખાલી કાગળ ભરો અભિયાનની બની ગયુ છે.
1.42 લાખ બાળકો ગુજરાતમાં કુપોષિત
પોષણક્ષમ આહારને નામે ખાલી કાગળ ભરો અભિયાન
માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ, બાલશક્તિને નામે લોલમલોલ
કુપોષણ દુર કરવાની ખાલી ફુલગુલાબી વાતો જ થઈ રહી છે એ મામલે નક્કર પગલાના કાગળ પર ચિતરામણા સારા લાગે છે પણ એને વાસ્તવિકતામાં સાકાર કરવાનું સપનું ખાલી સપનુ જ છે તે સાકાર કરવા માટે સરકાર ન કોઈ પગલા લે છે ન લીધેલા પગલા વિશે સમીક્ષા કરે છે.
આંગણ વાડી બહેનોએ ખોલી પોલ
સરકાર આંગણવાડીના બાળકોના ભોજન માટે બાળકદીઠ શાકભાજી પેટે માત્ર દસ પૈસા જ ચુકવે છે. આ પોલ ખુદ આંગણવાડીના કર્મચારીઓએ ખોલી દીધી હતી. ગત રવિવારે અરવલ્લીના મોડાસામાં આંગણવાડી બહેનોની એક બેઠક મળી હતી. જેમાં પોષણક્ષમ આહારનો પ્રશ્ન પણ ઉઠ્યો હતો
કેમ મળી હતી બેઠક
આ બેઠકમાં આંગણવાડી કર્મચારીના પગાર વધારા સહિતની પેન્ડિંગ માંગણીઓને લઈને સરકાર પાસે કેવી રીતે રજૂઆત કરવી તેની રણનીતિ ઘડવા માટે એકઠી થયેલી 450 મહિલા કાર્યકર મહિલાઓ વિશે વિવિધ મુદ્દા ચર્ચાતા હતા ત્યાં બાળકોના કુપોષણનો મુદ્દો પણ સામે આવ્યો હતો.
આંગણવાડી બહેનો વચ્ચે થઈ ચર્ચા
જેમાં આંગણવાડી બહેનો વચ્ચે એ સરકાર દ્વારા બાળકોને રાંધીને અપાતા ખોરાકના પોષણમાં સુધારો કરવાની વાત થઈ હતી. ખાદ્ય સામગ્રીમાં હજુ વધારો કરવો જરૂરી છે. સરકાર બાળક દીઠ શાકના માત્ર 10 પૈસા ફાળવે છે. પણ સરકારે મસાલા સહિત સામગ્રીમાં વધારો કરવો જોઈએ. આ અંગે સરકાર દ્વારા અમૂલ ડેરીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે.
ખાલી ખાલી યોજનાઓના નામથી ગુજરાત પોષીત નહી થાય
માતૃ શક્તિ, પુર્ણા શક્તિ અને બાલ શક્તિ છે તે પૂરતુ છે જ નહીં. આમ કરતા આંગણવાડી બહેનોએ જ સરકાર પર આક્ષેપ મૂક્યો હતો કે, સાવ નઘરોળની જેમ કોન્ટ્રાક્ટ આપીને સરકાર ભર્યા તળાવમાંથી કોરી નીકળી જવા માંગે છે.
જો કુપોષણને નાથવું હશે તો પોષણયુક્ત આહાર આપવો પડશે
જન્મ સમયે માતામૃત્યુ દર, બાળ મૃત્યુ દર અને કુપોષણ ઘટાડવું હશે તો ખાલી કોન્ટ્રાક્ટ આપે દહાડા નહીં વળે પણ એના રીવ્યુ અને અહેવાલ તેમજ વાસ્તવિક ખરેખર બાળકોનું કે માતાનું પેટ ભરાય કે પોષણ મળે તેટલો આહાર તે પ્રમાણનો આહાર તેમના સુધી પહોંચે છે કે નહીં તે પણ જોવું રહ્યું.
માંગણીઓ નહી સંતોષાય તો સરકાર વિરૂધ્ધ આંદોલનની ચીમકી
આંગણવાડી મહિલાઓની આ બેઠક ગુજરાત આંગણવાડી સંગઠનના પ્રમુખ અરૂણ મહેતાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પગારથી લઈ આંગણવાડી બહેનો પર નક્કી કરેલ કામ કરતા વધારાનો બોજ, પગાર, અને બાળકોને ભોજન માટે આપવામાં આવતી સામગ્રીની ગુણવત્તા મામલે બહેનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ અંગે તેમણે તેમની પડતર માંગણીઓ નહી સંતોષાય તો સરકાર વિરૂધ્ધ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાતમાં કુલ 1 લાખ 42 બાળકો કુપોષણનો શિકાર
ગુજરાતમાં કુલ 1 લાખ 42 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 14,191 બાળકો કુપોષિત છે. તો અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ આ આંકડો 1925 છે. તો સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં 469 બાળકો કુપોષિત છે.