ઉર્જામંત્રી સૌરભ પટેલની પત્રકાર પરિષદ કરીને ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. ખેડૂતોને રાતે જ વીજળી મળતી હોવાને કારણે, રાતે જ ખેતરોમાં પિયતની વ્યવસ્થા થઈ શકે છે જેને પરિણામે ખેડૂતોએ રાતના ઉજાગરા કરવા પડે છે આ અંગે ખેડૂતો વારંવાર સરકાર સામે દિવસે પણ વીજળી આપવા બાબતે રજૂઆત કરી ચુક્યા છે ત્યારે સરકારે પણ આ મુદ્દાને ગંભીર રીતે લઈને ખેડૂતોને દિવસે પણ વીજળી આપવાનું વિચારીને એ દિશામાં કદમો ઉઠાવ્યા છે.
ખેડૂતોને દિવસે વીજળી આપવા સરકાર વિચારણા કરી રહી છે
દિવસે વીજળી આપવી હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા પડે
નવા વીજ સ્ટેશન અને સબ સ્ટેશન ઉભા કરવા પડે
નવી વીજ લાઈન નાખવી પડે
કેમ જરૂરી છે દિવસે વિજળી
શિયાળાની કડકડતી રાતમાં પણ ખેડૂતોએ પિયત કરવા ખેતરે જવું પડતું હોય છે તો વળી કેટલાક ગામોની સીમમાં રાની પશુઓનો ડર હોવા છતાં ખેડૂતોએ રાતે ફરજિયાત ખેતરે પિયત કરવા પહોંચવું પડે છે. પણ સરકાર જો દિવસે વીજળી આપશે તો ખેડૂતોને ખુબ રાહત થઈ જશે.
ખેડૂતોને માટે સરકારની મોટી જાહેરાત
ઉર્જામંત્રી સૌરભ પટેલની પત્રકાર પરિષદ કરીને ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવા મુદ્દે સૌરભ પટેલનું નિવેદન કર્યુ હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપવા સરકાર વિચારણા કરી રહી છે. અને દિવસે વીજળી આપવી હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા પડી શકે છે. તેમજ નવા વીજ સ્ટેશન અને સબ સ્ટેશન ઉભા કરવા પડે. અને નવી વીજલાઈન નાખવી પડી શકે છે.
ખેડૂતોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ખેડૂતો કરારિત વીજભાર કરતા વધારાના વીજભારને નિયમિત કરી શકશે. હોર્સ પાવર આધારિત ખેડૂતોને લાભ થશે. વીજ લોડની ચકાસણી થતી હતી ત્યારે વીજ લોર્ડ વધારે આવતો હતો. વીજ લોડ વધારે આવતા ખેડૂતોને પેનલ્ટી ભરવી પડતી હતી. ચેકિંગ દરમિયાન તાત્કાલિક પુરવણી બીલ આપવામાં નહી આવે.