દ્યોગોમાં વીજકાપને લઇ GUVNLની સ્પષ્ટતા, ઔધોગિક એકમો અલગ-અલગ દિવસે રજા પાડે તો ગ્રીડ સંતુલન જળવાઈ રહેશે તેથી કોઇ પણ વીજકાપ મુકાયો નથી
ઉદ્યોગોમાં વીજકાપને લઇ GUVNLની સ્પષ્ટતા
ઔધોગિક એકમોમાં કોઇ પણ વીજકાપ મુકાયો નથી
ઔધોગિક એકમો અલગ-અલગ દિવસે રજા પાડે તો ગ્રીડ સંતુલન જળવાઇ રહે
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેતી માટે મળતી વીજળીમાં કાપ મુકાયો છે. જેના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. તેવામાં ખેડૂતોને પુરતી વીજળી મળે તેવી તીવ્ર માગ ઉઠી હતી અને મોટા પાયે જિલ્લે ખેડૂતોએ વીજકાપને લઈ સરકાર સામે બાયો ચડાવી હતી અને રસ્તા પર ઉતરી ગયા હતા. જેણે લઈ ઉદ્યોગોના વીજકાપ કરવાની માગણી પણ વિપક્ષ અને ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આથી સરકારે હવે આયોજન બધ્ધ રીતે વીજળી સંકટને પહોંચી વળવા આયોજન કર્યું છે.
GUVNLએ શું કરી સ્પષ્ટતા?
ઉદ્યોગોમાં વીજકાપને લઇ ગુજરાત ઉર્જા વિકાસ લિમિટેડે (GUVNL)એ સ્પષ્ટતા કરી છે કે ઔધોગિક એકમોમાં કોઇ પણ વીજકાપ મુકાયો નથી ઔધોગિક એકમોમાં રવિવારે રજા પાળવામાં આવે છે જેથી રવિવારે વીજ લોડ ઓછો રહે છે પણ તે એક સામટો હોય છે જેથી હવે GUVNLએ નક્કી કર્યું છે કે ઔધોગિક એકમો અલગ-અલગ દિવસે રજા પાડે તો ગ્રીડ સંતુલન જળવાઇ રહે એ માટે કાલે થયેલી જાહેરાત વીજકાપ નહીં પણ વાર પ્રમાણે ઉદ્યોગોને વીજળી નહીં મળે તેની જાહેરાત હતી. એટલે કે ઉદ્યોગો પર વીજકાપ મૂકવામાં આવ્યો નથી ફક્ત વાર પ્રમાણે આયોજન કરી તેને મેન્ટેઈન કરવામાં આવી છે.
ઔધોગિક એકમો અલગ-અલગ દિવસે રજા પાડશે જેથી ગ્રીડ સંતુલન જળવાઇ રહે તે માટે નીચે મુજબના વાર પ્રમાણે ઉદ્યોગોને વીજળી નહીં મળે આનો સીધો અર્થે એ થાય છે કે આયોજન કરી સપ્તાહના વાર પ્રમાણે ઉદ્યોગો જાતે જ રજા પાડશે જેથી તે વીજળી બચી શકે..