દ્વારકા બેઠકના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર પબુભાએ સભામાં રાહુલ ગાંધી વિશે સભામાં વિવાદિત ટિપ્પણી કરી હતી.
પબુભા ફરીવાર ભાન ભૂલ્યા ?
રાહુલ ગાંધીને માનશિક દિવ્યાંગ ગણાવ્યા
રાહુલ ગાંધીની તુલના કમા સાથે કરી
ગુજરાત ચુંટણીને પગલે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. અનેક નેતાઑ મુદાની રાજનીતિ એકબીજા પર આક્ષેપના કાદવ ઉછાળી રહ્યા છે. જેમાં હવે પબુભાનું નામ પણ ઉમેરાયુ છે. ગુજરાત ચુંટણીને લઇને ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે દ્વારકા કલ્યાણપૂર સીટના ભજપના ઉમેદવાર પબુભા માણેકના સમર્થનમાં યોગી આદિત્યનાથની સભા યોજાઇ હતી. જે વેળાએ પબુભા માણેકે આડેધડ નિવેદન આપ્યા હતા. પબુભા ભાન ભૂલ્યા હોય તેમ બેફામ બની રાહુલ ગાધી પર આકારા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીની તુલના કમા સાથે કરી
દ્વારકામાં પબુભા માણેકના પ્રચાર દરમિયાન પબુભાએ રાહુલ ગાંધીની વધેલી દાઢીને કારણે સદ્દામ હુસૈન સાથે પણ તુલના કરી હતી. એટલુ જ નહિ વિરોધના તમામ સીમાડા વટાવી પબુભાએ રાહુલ ગાંધીની માનશિક દિવ્યાંગ કમા સાથે તુલના કરી નાખી હતી. આમ રાહુલ ગાંધીને માનશિક દિવ્યાંગ ગણાવતા સવાલો ઊભા થયા છે.
શું બોલ્યા હતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા
ભાજપના સ્ટાર પ્રચારકોમાં સામેલ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પણ ગઇકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી આ દિવસોમાં ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન જેવા દેખાય છે. ગુજરાતના ભાર્ગવ રોડ કુબેરનગરમાં પ્રચાર કરવા આવેલા હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે, આજકાલ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો દેખાય છે. તેમણે કહ્યું કે ચહેરો જ રાખવો હોય તો ગાંધી જેવો રાખો. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર બાબરનું નામ લે છે અને માત્ર એક જ ધર્મ આગળ રાખે છે.