ગુજરાતસી ચુંટણીને લઇને વીટીવી જનમત એક્સપ્રેસ આજે ગોહિલવાડની ભૂમિ ભાવનગર પર પહોંચી હતી. આ દરમિયાન યુવાનો, વેપારીઑ અને ખેડૂતોના મંતવ્ય જાણવાનો પ્રાયસ કર્યો હતો. જેમા 2022માં નગરજનો પૂનરાવર્તન ઈચ્છે છે કે, પરિવર્તન તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.મનાર ગામ, અંલગ શીપબ્રેકિંગ યાર્ડ સહીત ભાવનગર જિલ્લાના અલગ-અલગ મતવિસ્તારોમાં ક્યાંક નેતાઑ પ્રત્યે નારાજગી તો ક્યાંક કામગીરીથી સંતોષ જોવા મળ્યો હતો. આ વખતના ત્રિ-પાંખિયા જંગમા અંતે જનતા કોના પર મહેર વરસાવે છે તે આગામી 8 ડિસેમ્બરે જ સ્પષ્ટ જાણી શકાશે.
ભાવનગરમા સ્થાનિક યુવાનોના મત જાણ્યા હતા. ત્યારબાદ ભાવનગરના પશ્ચિમ વિસ્તાર અને ભાવનગર પૂર્વ વિધાનસભા વિસ્તારમાં લોકોની સમસ્યા અને સવાલો જાણ્યા હતા. આ ઉપરાંત મહુવા તરફ ડુંગળીનું વાવેતર બહોળા પ્રમાણમાં થાય છે. ત્યારે ખેતરોમાં ડુંગળીની ખેતી કરતા કેટલાક ખેડૂતો પાસેથી પણ જવાબો જાણ્યા હતા. આ સમગ્ર ચર્ચામા તળાજાને બાદ કરતા ભાવનગર જિલ્લામાં હાલ ભાજપનો દબદબો છે. અને ચૂંટણી પહેલા અહીં હજૂ પણ મોટો પ્રમાણમાં લોકો પૂનરાવર્તન ઈચ્છી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.