દિલ્હી બાદ પંજાબમાં મેળવેલી ધમાકેદાર જીત બાદ આપ પાર્ટી હવે દેશના અન્ય રાજ્યોમાં પણ જીત માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે અંતર્ગત હવે ગુજરાત આગામી ટાર્ગેટ હશે.
પંજાબ અને દિલ્હીમાં આપની સરકાર
પંજાબમાં જીત બાદ કેજરીવાલનું માન વધ્યું
ગુજરાત સર કરવાની તૈયારી
પંજાબમાં ભગવંત માન મંત્રીમંડળનું ગઠન થઈ ગયું છે. તુરંત જ માન સરકાર એક્શનમાં નજરે પડે છે અને 25 હજાર નોકરીઓ માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. નિર્ણય પંજાબમાં થઈ રહ્યા છે, પણ આ એક્શન દ્વારા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર આવનારા સમયમાં ગુજરાત ચૂંટણી પર લાગેલી છે. પંજાબની સત્તામાં આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં મેસેજ આપવા માગે છે.
પહેલા દિવસે માન કેબિનેટે શું નિર્ણય લીધો
કુલ 25 હજાર નોકરીયો દ્વારા યુવાનો માટે જાહેરાત
15 હજાર પોલીસકર્મીઓની ભરતી કરતી સુરક્ષાની ગેરેન્ટી આપી
23 માર્ચથી હેલ્પલાઈન દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈનો સંદેશ
આ અગાઉ ભગતસિંહના ગામમાં ભગવંત માનનો શપથસમારંભને લઈને રાષ્ટ્રવાદનો સંદેશ આપ્યો
નવનિર્વાચિત આપ ધારાસભ્યોને સંબોધન કરશે કેજરીવાલ
હવે જનતાની સરકારની છબી આજે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઉભારશે. કેજરીવાલ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા પંજાબમાં નવનિર્વાચિત આપ ધારાસભ્યોને સંબોધન કરશે. ભાષણ ધારાસભ્યો માટે હશે, પણ ટાર્ગેટ સમગ્ર દેશની રાજનીતિ પર હશે.
ભગવંત માનને કેજરીવાલે આપી દીધા ફ્રી હેંડ
આ શપથગ્રહણથી સીધો સંદેશ આમ આદામી પાર્ટીએ આપ્યો છે. આ શપથગ્રહણમાં કેજરીવાલ અથવા દિલ્હી સરકારના કોઈ મંત્રી શામેલ થયા નહોતા. ત્યાં સુધી કે, પંજાબ ચૂંટણીના પ્રભારી જરનૈલ સિંહ અને પંજાબના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ તેમાં પહોંચ્યા નહોતા. તેથી સ્પષ્ટ મેસેજ જાય છે, કે પંજાબમાં ભગવંત માનને ફ્રી હેંડ આપી દીધા છે.
મંત્રીમંડળ એજ્યુકેટેડ
દિલ્હીની દખલગીરી સરકાર ચલાવામાં ઓછી રહેશે. માનના મંત્રીમંડળમાં 2 ડોક્ટર્સ સામેલ છે. જેમાં આંખોના ડોક્ટર બલજીત કૌર પણ શામેલ છે. જે પહેલી વાર ચૂંટણી લડ્યા અને જીત્યા તથા મંત્રી બન્યા. સાથે જ 2 વકીલ, 1 એન્જીનિયર,1 પૂર્વ અધિકારી અને 2 ખેડૂતો સામેલ છે. જે પંજાબ માટે સીધો મેસેજ છે.
હિમાચલ અને ગુજરાત પર કેજરીવાલની નજર
હકીકતમાં આ તમામ નિર્ણયોથી પંજાબની જનતાએ મેસેજ આપી દીધો છે, પણ બાકીના રાજ્યોમાં એન્ટ્રીનો રસ્તો ખોલવાની તૈયારી છે. આ વર્ષે આખરમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થવાની છે. આમ આદમી પાર્ટી તેના માટે તૈયારીમાં લાગી ગઈ છે. 2 એપ્રિલને અમદાવાદમાં આપનો રોડ શો થવાનો છે, આ રોડ શોમાં કેજરીવાલ સાથે માન પણ આવશે. દિલ્હી મોડલ દ્વારા પંજાબમાં જમીન બનાવ્યા બાદ હવે સમગ્ર દેશમાં આપ ફેલાવાની તૈયારીમાં છે. આ જ કારણ છે કે, કેજરીવાલ દિલ્હી અને પંજાબમાંથી સમગ્ર દેશ માટે મેસેજ આપી રહ્યા છે.