ચૂંટણીમાં ભાજપની જીત અંગે કેટલા આશ્વાસ્ત શાહ? ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ગુજરાતમાં 1990થી 2017 સુધીના તમામ રેકર્ડ તૂટી જશે
ગુજરાત ઈલેક્શન 2022
ગૃહમંત્રી અમિત શાહનો VTV પર EXCLUSIVE ઇંટરવ્યૂ
નીડર સવાલો..બેઘડક જવાબ
ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 27 વર્ષથી સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી હજુ આવનાર 5 વર્ષ ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ ગુજરાતની ગાદી પર હશે તેવો દાવો કરીરહી છે. ત્યારે VTV સાથે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખાસ વાતચીત કરી છે. VTV NEWSના ચેનલ હેડ હેમંત ગોલાણીના બેધડક સવાલોના અમિત શાહએ બેબાક જવાબ આપ્યા હતા. જુઓ EXCLUSIVE ઇંટરવ્યૂ
QUESTION 1
ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકોને ટાર્ગેટ રાખી ઉતરી છે આના પર શું કહેશો?
અમિત શાહે કહ્યું હું ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતથી આશ્વાસ્ત છું. ભાજપ ગુજરાતમાં 1990થી 2017 કોઈ પણ ચૂંટણી હાર્યું નથી આ વખતે પણ આગળના તમામ રેકોર્ડ બેઠક પ્રમાણે અને મતની ટકાવારી પ્રમાણે પણ તૂટી જશે.
QUESTION 2
ગુજરાતમાં CAAના મુદ્દા અંગે શું બોલ્યા અમિત શાહ?
આ મુદ્દે કોઈ ગૂંચવાડો નથી. સરકારનો નિર્ણય સંપૂર્ણ બંધારણીય છે. અમે આ નિર્ણય આસપાસના દેશોમાંથી ધાર્મિક પ્રતાડના ભોગવી અહીં આશરો લેવા આવ્યા છે તેમના માટે કર્યો છે. એ લોકોને 70 વર્ષ સુધી અગાઉને સરકારોએ નાગરિકતા નથી આપી તેઓ રહે કયા?
QUESTION 3
યુનિફોર્મ સિવિલ કોડ પર શું બોલ્યા શાહ?
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કઈ રીતે કરવો તે માટે કમિટિ છે. યુનિફોર્મ સિવિલ કોડ પહેલેથી જ ભાજપના ઘોષણાપત્રમાં છે. દરેક ધર્મના નાગરિક માટે સમાન કાયદો હોવો જોઈએ. ધર્મના આધારે કોઈને વિશેષ સગવડ ન મળે એવુ બંધારણ કહે છે. ભારતના બંધારણમાં સંવિધાન સભાએ સૂચન કર્યું છે આગળના ભવિષ્યમાં તમામ સરકારો મળી કોમન સિવિલ કોડનો અમલ કરે.
QUESTION 4
બેટદ્વારકા અનઅધિકૃત દબાણ ચૂંટણીને ધ્યાને રાખી દૂર કરવામાં આવ્યા?
બેટદ્વારકામાં અનઅધિકૃત દબાણ દૂર કરવા અંગે અમિત શાહે બેઘડક જવાબ આપતા કહ્યું હતું કે શું અનઅધિકૃત દબાણ દૂર ન થવા જોઈએ? જ્યારે દબાણ ધ્યાનમાં આવ્યા ત્યારે દૂર કરવામાં આવ્યા
QUESTION 5
ભાજપમાં ટિકિટ ફાળવણીનો આ વખતે શું છે માપદંડ?
અમિત શાહનો સ્પષ્ટ જવાબ, જીતવાની ક્ષમતા એ જ માપદંડ, નો રિપીટના પ્રશ્ન પર કહ્યું કે કોઈ દિવસ ગુજરાત ભાજપના નેતાએ કે કેન્દ્રના નેતાઓએ નો રિપીટનું નિવેદન આપ્યું નથી. આ મુદ્દો ફક્ત મીડિયા દ્વારા કહેવામાં આવે છે.
QUESTION 6
ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલશે?
ગુજરાતમાં બે મુખ્ય પક્ષ વચ્ચે જ લડાઈ છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી. ભૂતકાળમાં ત્રીજા પક્ષ બન્યા પણ ન ચાલ્યા તે આખાય ગુજરાતે જોયું છે.