એક તરફ ગુજરાતમાં રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલો વાગી ચૂક્યા છે અને બીજી તરફ નેતાઓની પક્ષ બદલીની સિઝન પણ જામી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારીથી આલા કમાન નારાજ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસ સાથે જોડાયેલા મોટા સમાચાર
પ્રભારી રઘુ શર્માની થઈ શકે છે બદલી
પ્રભારી બન્યા બાદ દિગ્ગજોએ છોડ્યો પક્ષ
છેલ્લા કેટલાક સમયગાળાથી ગુજરાત કોંગ્રેસમાંથી મોટા પાયે પાર્ટીના દિગ્ગજ નેતાઓ અલવિદા કહીને ભાજપમાં જોડાયા છે, તો ભરતસિંહ સોલંકી જેવા અગ્રણી નેતાએ થોડા સમય માટે ગુજરાતના રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માથી દિલ્હી હાઈકમાન્ડ નારાજ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 7, 2022
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી નજીકના સમયમાં યોજાનારી છે ત્યારે આ ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે છે. જણાવી દઈએ કે, રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી હાર્દિક પટેલ, દિનેશ શર્મા, જયરાજસિંહ પરમાર, ઈન્દ્રનીલ રાજ્યગુરુ જેવા દિગ્ગજ નેતાઓ પક્ષને ટાટા-બાયબાય કહી ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આલા કમાન હવે એક્શનમાં આવ્યું છે અને રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.
2012થી અત્યાર સુધીમાં અનેક દિગ્ગજોએ છોડ્યો કોંગ્રેસનો સાથ
ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થયા છે.
વિઠલ રાદડિયા પણ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. બાદમાં 2017માં વિઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયા મંત્રી બન્યા.
બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું. હાલ તેઓએ રાજીનામુ આપ્યું છે.
રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું. જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં.
જ્યારે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડલમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલાં દિલ્હી ભાજપમાં જોડાયા.
37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ
એ સિવાય કોંગ્રેસનાં સગઠનમાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયા. ત્યાર બાદ આદિવાસી નેતા અને પ્રખર કોંગ્રેસી અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ પણ કેસરિયો ધારણ કર્યો. ત્યારે હવે આજે કોંગ્રેસના વધુ બે નેતાઓ કે જેમાં હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે પણ C.R પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી લીધા છે.