ગુજરાત આમ આદમી પાર્ટીએ અગાઉ 300 યુનિટ ફ્રી વીજળીની જાહેરાત કરી હતી, આજે કેજરીવાલે વેરાવળમાં રોજગાર ગેરંટી આપી છે
કેજરીવાલે કરી જાહેરાત
રોજગારની ગેરંટીની જાહેરાત
યુવાનોને કરી કેજરીવાલે અપીલ
ગુજરાતમાં કેજરીવાલે આગામી ચૂંટણીને અનુલક્ષી વીજળી ફ્રી બાદ બીજી મોટી જાહેરાત કરી છે. ગુજરાતના યુવાનોને આત્મહત્યા ન કરવા અપીલ કરી છે. કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતમાં AAPની સરકાર આવશે તો પાંચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગારી આપવાનો વાયદો કર્યો છે. દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગારી આપવાની વાત કરી છે. દિલ્લીમાં જે રીતે લોકોને રોજગારી આપવાનું કામ કર્યું તે જ રીતે ગુજરાતમાં પણ અપાશે.અને જે યુવાનને રોજગારી નહીં મળે તેને મહિને 3 હજારનું બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે.
કેજરીવાલની વેરાવળમાં બીજી ગેરંટીની જાહેરાત
1- પાચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે (દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાની ટાર્ગેટ)
2- જ્યાં સુધી રોજગાર નહી મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું મળશે
3- 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે
4- પેપર લીક ના થાય તે માટે આપ ગુજરાતમાં કાયદો બનાવવા આવશે.પેપર ના ફૂટે તે માટે દોષિત ને કડક સજા મળે તેવી જોગવાઈ મળશે
5- સહકારી સંસ્થાઓમાં પૈસા થી મળતી નોકરી બંધ કરવામાં આવશે.જે લાયક હશે તેને જ નોકરી આપીશું
સોમનાથ ખાતે દિલ્લીના CM કેજરીવાલે સંબોધન કરતાં કહ્યું કે ગુજરાતમા લાખો- કરોડોનો દારૂનો ધંધો થાય છે કોઈ પણ રોકટોક કરનારું નથી, 23 વર્ષના યુવાને રોજગાર ન મળતા આપધાત કર્યો હોવાની વાત ઉલલેખી કહ્યું કે સરકારને પરીક્ષા ક્યારે યોજાશે એ પણ ખબર નથી. પેપર થાય તે પહેલા લીક થઇ જાય છે. આગામી 5 મહિનામા ચૂંટણી યોજાવાની છે ત્યારે બીજા રાજકીય પાર્ટીની જેમ ચૂંટણી ઢંઢેરો નહીં હું ગેરંટી આપી રહ્યો છું.મારી ગેંરટી પુર્ણ ન થાય તો મને વોટ ન આપતા, ગુજરાતમાથી ધક્કો મારી બહાર કાઢજો, AAPને રોજગાર આપતા આવડે છે. દિલ્લીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે ગુજરાતમાં સરકાર બનશે તો દરેક બેરોજગારને રોજગારી આપવી અમારી પહેલી પ્રાથમિકતા રહેશે.