ગુજરાતમાં ચૂંટણી માથે છે ત્યારે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આજની તારીખમાં સુરતમાં AAP 7 સીટો જીતી રહી છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP એક્શનમાં
અરવિંદ કેજરીવાલે લોકોને અંદરખાને પ્રચાર કરવા કરી અપીલ
સોશ્યલ મીડિયામાં આગ લગાવી દો: કેજરીવાલ
ગુજરાતમાં આગામી થોડા મહિનામાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં વાયદાઓની લહાણી કરવામાં આવી રહી છે. દ્વારકા ખેડૂતોને 2 લાખના દેવામાફીના એલાન બાદ આજે કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ સિવાય ગુજરાતમાં ચાલી રહેલા નાના મોટા આંદોલન મામલે પણ નિવેદન આપ્યું તથા સુરતને લઈને મોટો દાવો કર્યો છે કે સુરતની 12માંથી 7 સીટો આજની તારીખમાં આમ આદમી પાર્ટી જીતી રહી છે.
સુરતમાં અમે 7 સીટ જીતી રહ્યા છે
કેજરીવાલે કહ્યું કે મનોજ સોરઠિયા પર કરવામાં આવેલા હુમલા બાદ ગુજરાતનાં કરોડો લોકો જબરદસ્ત ગુસ્સામાં છે, આમની ગુંડાગીરી હવે વધતી જઈ રહી છે. પણ હું તેમને કહેવાય માંગુ છું કે અમે કોંગ્રેસી નથી, તમારી રીત બદલી લેજો અમે સરદાર પટેલ અને ભગતસિંહને આદર્શ માનીએ છે અને અમે ડરવાના નથી. અમે સર્વે કરાવ્યો જેમાં જાણવા મળ્યું છે કે સુરતની 12 સીટોમાંથી 7 સીટો આમ આદમી પાર્ટી પાસે આવી રહી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ આ આંકડો પણ વધશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ #LIVEhttps://t.co/tl4Nj5PVlh
ST બસના કર્મચારીઓને ધન્યવાદ
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે કચ્છના કાર્યક્રમમાં જ્યાં સેંકડોની સંખ્યામાં ST બસો દોડાવવામાં આવી હતી ત્યારે આ બસોના ડ્રાઇવર અને કંડક્ટરોએ સભામાં આવેલા લોકોને અપીલ કરી હતી કે આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપે.
સોશ્યલ મીડિયામાં આગ લગાવી દો
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના લોકો મીડિયાને ધમકાવી રહ્યા છે, જે લોકો અમારું કવરેજ બતાવે છે તેમને ધન્યવાદ અને જે નથી બતાવતા તેમની મજબૂરી હું સમજી શકું છું પણ સોશ્યલ મીડિયામાં હું અપીલ કરું છું કે બધા ખૂબ જ પ્રચાર કરો અને આગ લગાવી દો, આ વખતે ગુજરાતને બદલાવની જરૂર છે.