બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / Politics / gujarat election arvind kejriwal rally in valsad say I am a devotee of Hanuman Dada
MayurN
Last Updated: 06:52 PM, 9 October 2022
ગુજરાતમાં ચુંટણીનો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરવામાં લાગ્યા છે. હાલ તેઓ વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં સભા યોજી હતી. સાથે પંજાબના CM ભગવત માન પણ ઉપસ્થિત રહ્યા હતા. કેજરીવાલની સભા અગાઉ પ્રદેશ AAPના આગેવાનો પહોચ્યા હતા.
કાલે આખા ગુજરાતમાં મારા વિરુદ્ધ આ લોકોએ હોર્ડિંગ્સ લગાવ્યા હતા પણ તેમાં ભગવાન વિરુદ્ધ પણ અપશબ્દો લખ્યા હતા.
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 9, 2022
જે લોકો ભગવાનનું અપમાન કરે છે અને ગુંડાગીરી કરે છે, તે બધા કંસના સંતાનો છે. @ArvindKejriwal #GujaratWithKejriwal pic.twitter.com/w9GIDrdB0f
કેજરીવાલે પોસ્ટરોને લઈને કહ્યું,
ગુજરાતમાં કેજરીવાલ વિરુદ્ધના પોસ્ટરો જોઇને તેઓએ આ વીશે જણાવ્યું હતું કે, 'કાલે હું ગુજરાત આવ્યો ચારે તરફ મારા વિરૃધ પોસ્ટરો લગાવ્યા હતા. મારા ફોટા પાસે ભગવાન વિશે ઘણા અપશબ્દ લખ્યા હતા. આ જોઈ મને ઘણી તકલીફો થઇ. મારા વિશે ખરાબ શબ્દો ભલે લખ્યા પરંતુ ભગવાન વિશે તો ખરાબ ન લખો.'
હું હનુમાનજીનો પરમ ભક્ત છું,
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 9, 2022
મારો જન્મ જન્માષ્ટમી પર થયો હતો.. મારી દાદી મને પ્રેમથી 'કૃષ્ણ' કહેતા હતા.
ભગવાને મને આ ભ્રષ્ટાચારરૂપી લૂંટારાઓનો નાશ કરવા મોકલ્યો છે..!@ArvindKejriwal #GujaratWithKejriwal pic.twitter.com/RDkQOJ1VOA
હનુમાનજીનો ભક્ત છું
આગળ તેઓએ જણાવ્યું કહતું કે, 'હનુમાનજીનો મોટો ભક્ત છું, હનુમાનજીની કૃપા છે મારા પર, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો ઘરમાં મને બધા કૃષ્ણ કહેતા અને ભગવાન કૃષ્ણના અપાર આશીર્વાદ છે મારા પર, તેઓએ મને મહત્વપૂર્ણ કામ આપ્યું છે. આ કંસના વંશજની સફાઈ કરવાની છે. આજના જમાનાના રાક્ષસનો નાશ કરવાનો છે. જનતા ભગવાનનું સ્વરૂપ હોય છે, મારે જનતાનો સાથ જોઈએ છે. આપને સાથે મળીને ભગવાનનું કામ પૂર્ણ કરવાનું છે. આ રાક્ષસોનો નાશ કરીને જનતાને સુખ અને શાંતિ આવાની છે. ભ્રષ્ટાચારી, ગુંડાઓ અને ભગવાનનું અપમાન કરનારનો સફાયો કરવાનો છે.'
ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. લોકો ભાજપના ૨૭ વર્ષના કુ:શાસનથી ત્રસ્ત થઇ ગયા છે.
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 9, 2022
જ્યારથી આઇબીનો રિપોર્ટ આવ્યો છે કે; ગુજરાતમાં 'આપ'ની સરકાર બની રહી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસની ખાનગી મિટિંગો શરુ થઇ ગઈ છે. - @ArvindKejriwal #GujaratWithKejriwal pic.twitter.com/KxP12iOGGw
લોકોને હવે પરિવર્તન જોઈએ છે
વધુમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ સામે નિશાન સાધતા કહ્યું હતું કે, 'ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. બધે બાજુ લોકોને બદલાવ જોઈએ છે. 27 વર્ષ પછી લોકોને પરિવર્તન જોઈએ છે. લોકો ભાજપના 27 વર્ષના કુ:શાસનથી ત્રસ્ત થઇ ગયા છે. લોકોએ ભાજપનો ભરોષો કરીને તેમને પોતાના 27 વર્ષ આપ્યા છે. હવે લોકોને પરિવર્તન જોઈએ છે. જ્યારથી આઇબીનો રિપોર્ટ આવ્યો છે કે; ગુજરાતમાં 'આપ'ની સરકાર બની રહી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસની ખાનગી મિટિંગો શરુ થઇ ગઈ છે. મોડે રાત સુધી બંને પાર્ટીઓ ચર્ચા કરે છે અને બીજા દિવસે બંને પાર્ટી એક જેવું ભાષણ આપે છે. કોંગ્રેસ અને બીજેપી એકબીજાને ગાળો નથી આપતી. આ બંને પાર્ટીઓ કેજરીવાલને ગાળો આપે છે. બંને પાર્ટીઓ વચ્ચે કોઈ સેટિંગ છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News