બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Politics / gujarat election arvind kejriwal rally in valsad say I am a devotee of Hanuman Dada

સંબોધન / ગુજરાતમાં પોસ્ટર વૉર મામલે કેજરીવાલનો જવાબ, કહ્યું હું હનુમાન દાદાનો ભક્ત છું અને દાદી મને કૃષ્ણ કહેતા હતા

MayurN

Last Updated: 06:52 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચુંટણીનો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરવામાં લાગ્યા છે.

  • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં
  • CM ભગવત માન પણ ઉપસ્થિત રહ્યા
  • હનુમાન દાદાનો ભક્ત છું: કેજરીવાલ

ગુજરાતમાં ચુંટણીનો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરવામાં લાગ્યા છે. હાલ તેઓ વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં સભા યોજી હતી. સાથે પંજાબના CM ભગવત માન પણ ઉપસ્થિત રહ્યા હતા. કેજરીવાલની સભા અગાઉ પ્રદેશ AAPના આગેવાનો પહોચ્યા હતા.

 

કેજરીવાલે પોસ્ટરોને લઈને કહ્યું,
ગુજરાતમાં કેજરીવાલ વિરુદ્ધના પોસ્ટરો જોઇને તેઓએ આ વીશે જણાવ્યું હતું કે, 'કાલે હું ગુજરાત આવ્યો ચારે તરફ મારા વિરૃધ પોસ્ટરો લગાવ્યા હતા. મારા ફોટા પાસે ભગવાન વિશે ઘણા અપશબ્દ લખ્યા હતા. આ જોઈ મને ઘણી તકલીફો થઇ. મારા વિશે ખરાબ શબ્દો ભલે લખ્યા પરંતુ ભગવાન વિશે તો ખરાબ ન લખો.' 

 

હનુમાનજીનો ભક્ત છું
આગળ તેઓએ જણાવ્યું કહતું કે, 'હનુમાનજીનો મોટો ભક્ત છું, હનુમાનજીની કૃપા છે મારા પર, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો ઘરમાં મને બધા કૃષ્ણ કહેતા અને ભગવાન કૃષ્ણના અપાર આશીર્વાદ છે મારા પર, તેઓએ મને મહત્વપૂર્ણ કામ આપ્યું છે. આ કંસના વંશજની સફાઈ કરવાની છે. આજના જમાનાના રાક્ષસનો નાશ કરવાનો છે. જનતા ભગવાનનું સ્વરૂપ હોય છે, મારે જનતાનો સાથ જોઈએ છે. આપને સાથે મળીને ભગવાનનું કામ પૂર્ણ કરવાનું છે. આ રાક્ષસોનો નાશ કરીને જનતાને સુખ અને શાંતિ આવાની છે. ભ્રષ્ટાચારી, ગુંડાઓ અને ભગવાનનું અપમાન કરનારનો સફાયો કરવાનો છે.'

 

લોકોને હવે પરિવર્તન જોઈએ છે 
વધુમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ સામે નિશાન સાધતા કહ્યું હતું કે, 'ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. બધે બાજુ લોકોને બદલાવ જોઈએ છે. 27 વર્ષ પછી લોકોને પરિવર્તન જોઈએ છે. લોકો ભાજપના 27 વર્ષના કુ:શાસનથી ત્રસ્ત થઇ ગયા છે. લોકોએ ભાજપનો ભરોષો કરીને તેમને પોતાના 27 વર્ષ આપ્યા છે. હવે લોકોને પરિવર્તન જોઈએ છે. જ્યારથી આઇબીનો રિપોર્ટ આવ્યો છે કે; ગુજરાતમાં 'આપ'ની સરકાર બની રહી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસની ખાનગી મિટિંગો શરુ થઇ ગઈ છે. મોડે રાત સુધી બંને પાર્ટીઓ ચર્ચા કરે છે અને બીજા દિવસે બંને પાર્ટી એક જેવું ભાષણ આપે છે. કોંગ્રેસ અને બીજેપી એકબીજાને ગાળો નથી આપતી. આ બંને પાર્ટીઓ કેજરીવાલને ગાળો આપે છે. બંને પાર્ટીઓ વચ્ચે કોઈ સેટિંગ છે.'  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ