કોરોના મહામારીના કારણે બંધ શાળા-કોલેજો શરૂ થશે. માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલે એક ખાનગી ઇન્ટરવ્યુમાં શાળા-કોલેજ ખોલવા અંગે નિવેદન આપ્યું હતું. દેશભરમાં 15 ઓગસ્ટ બાદ શાળા-કોલેજો ખુલશે. ત્યારે આ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે VTV Newsએ ખાસ વાતચીત કરી હતી.
શાળાઓ અનલોક ક્યારે?
શિક્ષણમંત્રી શું કહી રહ્યા છે?
શાળાઓ ક્યારથી શરૂ થશે?
કોરોના સંકટ વચ્ચે શાળા-કોલેજો ખોલવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળા શરૂ કરવા હમણા કોઇ ઉતાવળ નહીં, શિક્ષણવીદો સાથે ચર્ચા બાદ નવી પદ્ધતિથી શાળા ખોલીશું. બાળકના હિતમાં, તેની વ્યવસ્થા કરીને, વિદ્યાર્થીઓને તકલીફ ન પડે, આરોગ્ય વિભાગની સલાહ સૂચના લઇને પરિસ્થિતિની સમિક્ષા કરીને આ અંગે નિર્ણય લઇશું. આજે શાળા ખોલવા અંગે વાત કરવી ખુબ વહેલું કહેવાશે.
આવતીકાલથી વિદ્યાર્થીઓ વિના શાળાઓ શરૂ થશેઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રીએ કહ્યું કે, તમામ શિક્ષકોએ પણ શાળાએ આવવાની જરૂર નથી. બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. ચાલુ વર્ષની ફીમાં કોઇ વધારો કરવાનો નહીં આવે. દર્દીઓ મહિના પ્રમાણે ફી ભરી શકશે. વાલીઓએ એકસાથે ફી ભરવાની નહીં રહે.
સ્કૂલો ફી માંગે છે તેમાં અમે DEO ને તપાસ કરશેઃ શિક્ષણમંત્રી
જોકે શિક્ષકોને વધારાની કામગીરી બાબતે શિક્ષણ મંત્રીએ મૌન પાળ્યું હતું. તેમણે શાળાઓની ફી વસૂલી અગં કહ્યું હતું કે, સ્કૂલો ફી માંગે છે તેમાં અમે DEO ને તપાસ કરવાનું કહીએ છીએ. ઓનલાઇન એજ્યુકેશન તરફ કામ ચાલુ છે. સરકાર હાલમાં ઉતાવળે પગલા નથી લેવા માગતી. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લઇશું.