શિક્ષકો વિદ્યાર્થીઓ ને શાળામાં ભેગા ન થાય તે જવાબદારી લે- વિનોદ રાવ
કોરોનાની મહામારી ચાલી રહી છે અને દિવસેને દિવસે રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં શિક્ષણવિભાગ તરફથી દરેક શાળા અને શિક્ષકોને કડક આદેશ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોમાં હાલ શાળામાં ન બોલાવવા માટે આદેશ અપાયા છે. અને જો તેમ છતાં શાળા અને શિક્ષકો નહી માને તો તેમની વિરુદ્ધુ પોલીસ ફરિયાદ કરવાની જાહેરાત કરી છે.
ઓડિયો કલીપ મારફતે આ અંગેની સૂચના દરેક સ્કુલ અને શાળા સુધી પહોંચાડાઈ
રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવનો શિક્ષકોને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, હાલ જો શાળામાં વિદ્યાર્થીઓને બોલાવ્યા તો પોલીસ ફરિયાદ થશે. આ અંગે બી.આર.સીને સંબોધી શિક્ષકોને સૂચના પહોંચાડવામાં આવી છે. ઓડિયો કલીપ મારફતે આ અંગેની સૂચના દરેક સ્કુલ અને શાળા સુધી પહોંચાડાઈ છે.
શું કહે છે શિક્ષણ વિભાગના સચિવ?
તેમણે કહ્યું હતુ કે મહામારીના સંકટમાં કોઈ પણ વિદ્યાર્થીને અગર શાળાએ બોલાવાશે અને તેને ચેપ લાગશે તો તેની જવાબદારી કોની? એટલે જ વિદ્યાર્થીઓ શાળામાં ભેગા ન થાય તેની જવાબદારી શિક્ષકો સ્વયં જ લે.
રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવનો શિક્ષકોને સ્પષ્ટ આદેશ, હાલ જો શાળામાં વિદ્યાર્થીઓને બોલાવ્યા તો થશે પોલીસ ફરિયાદ#EducationNews@imBhupendrasinh@CMOGuj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 20, 2020