ગાંધીનગરઃ સરકારે શિક્ષણને લઈને એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. શિક્ષક સાથેના વિદ્યાર્થીઓના સંવાદને લઈને નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. હવેથી દરેક વિદ્યાર્થીએ 'જય હિંદ જય ભારત' જેવા શબ્દોનો ઉપયોગ કરવો પડશે. હાજરી સહિતના અન્ય સંવાદમાં 'યસ સર કે મેડમ' નો ઉપયોગ નહીં થાય.
વિધાર્થીઓમાં દેશ ભાવના જળવાઈ રહે તે માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો અમલ આગામી દિવસોમાં કરવામાં આવશે. અને જેની જાણ દરેક શાળાઓને પરિપત્ર દ્વારા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. શૈક્ષણિક બાબતે સંકળાયેલ જગ્યા પર શિક્ષકો પણ મોબાઇલ નહીં વાપરી શકે. કોલેજમાં પણ વિદ્યાર્થીઓ સંકુલમાં મોબાઇલ નહીં વાપરી શકે. શાળાઓને સંકુલમાં લેન્ડલાઇન ફોનની વ્યવસ્થા કરવા ભલામણ કરાઇ છે. ફોન પર આવતા સંદેશ વિદ્યાર્થી પાસે પહોંચાડવાની જવાબદારી શાળાની રહેશે.