પરિણામ / ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓને કૃપા ગુણ આપવાનો વિશેષાધિકાર પ્રિન્સિપાલને અપાયો

gujarat education board exam school principal coronavirus lockdown

ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. આમ કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના જાહેર થયા બાદ રાજ્યમાં સ્કૂલોની બાકી રહેલી પરીક્ષા રદ્દ કરાવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે કોરોનાને લઇને હવે રાજ્યના શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે વર્ગ બઢતીના નિયમમાં ફેરફાર કર્યો છે. જેમાં ધોરણ 9 અને 11 પાસ માટે પ્રિન્સિપાલને વિશેષ અધિકારી આપવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ