ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. આમ કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના જાહેર થયા બાદ રાજ્યમાં સ્કૂલોની બાકી રહેલી પરીક્ષા રદ્દ કરાવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે કોરોનાને લઇને હવે રાજ્યના શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે વર્ગ બઢતીના નિયમમાં ફેરફાર કર્યો છે. જેમાં ધોરણ 9 અને 11 પાસ માટે પ્રિન્સિપાલને વિશેષ અધિકારી આપવામાં આવ્યો છે.
ધોરણ 9-11ના માટે પ્રિન્સિપાલને વિશેષ અધિકાર અપાયો
પરીક્ષા ન લેવાઇ શકે એ સ્થિતીમાં નવો નિર્ણય
પહેલી 2 વાર્ષિક પરીક્ષાના ગુણના આધારે પરિણામ થશે તૈયાર
પ્રાપ્ત મળતી વિગત અનુસાર કોરોનાને લઇને પરીક્ષા ન લેવાઇ શકે તેમ હોય ગુજરાત શિક્ષણ બોર્ડે નવો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 9 અને 11 પાસ માટે પ્રિન્સિપાલને વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. જેમાં પ્રિન્સિપાલ વાર્ષિક પરીક્ષા પહેલાની 2 પરીક્ષાના માર્કસ અને આંતરિક મૂલ્યાંકન આધારે પરિણામ તૈયાર કરી શકશે.
જેમાં પ્રિન્સિપાલ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓના અગાઉની પરીક્ષાના આધારે જો વિદ્યાર્થી નાપાસ થતો હશે તો કૃપા ગુણ આપીને પાસ કરી શકશે. આમ કૃપા ગુણનો વિશેષ અધિકાર પ્રિન્સાપલનો આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ અત્યાર સુધી પ્રિન્સિપાલ માત્ર 10 ગુણ આપી શકતા હતા પણ આ વખતે ગમે તે વિદ્યાર્થીને 20 સુધી કૃપા ગુણ આપી શકશે. ટૂંકમાં ગમે તેટલા માર્કસ વિદ્યાર્થીને પાસ થવામાં ઓછા પડતા હશે તો પ્રિન્સિપાલ તે વિદ્યાર્થીઓને કૃપાગુણ આપી પાસ કરી શકશે. આમ હવે ધોરણ 9 અને 11 ને માસ પ્રમોશન ગણાશે નહીં.
શિક્ષણ વિભાગે શું કર્યો નિર્ણય?
ધોરણ 9-11ના માટે પ્રિન્સિપલને વિશેષ અધિકાર અપાયો
પરીક્ષા ન લેવાઇ શકે એ સ્થિતીમાં નવો નિર્ણય
પહેલી 2 વાર્ષિક પરીક્ષાના ગુણના આધારે પરિણામ થશે તૈયાર
આંતરિક મૂલ્યાંકનને પણ પરિણામ સમયે ધ્યાને લેવાશે
વિદ્યાર્થી જો પાસ ન થતો હોય તો કૃપા ગુણ આપી પાસ કરાશે