ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કલોલ ખાતે આડકતરી ચીમકી આપતા કહ્યું પ્રજા-વેપારીઓને જે લોકો કનડે છે તેમને નહીં છોડીએ. હું કોઇને ધમકી આપતો નથી. અહીં કલોલમાં બધા સારા માણસો છે.
કલોલમાં નીતિન પટેલની આડકતરી ચીમકી
પ્રજા-વેપારીઓને જે લોકો કનડે છે તેમને નહી છોડીએ
હું કોઇને ધમકી આપતો નથી
કલોલમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની આડકતરી ચીમકી આપી છે. જેમાં નીતિન પટેલે કહ્યું કે જે લોકો પ્રજા-વેપારીઓને કનડે છે તેમને નહીં છોડીએ. ખોટા માણસો ચલાવી નહીં લેવાય.
ડે. સીએમ નીતિન પટેલે આડકતરી ચીમકી આપતા ક હ્યું કે હું કોઇને ધમકી આપતો નથી. અહીં કલોલમાં બધા સારા માણસો છે. ત્યારે જે કોઇ પણ પ્રજા-વેપારીઓને ખોટી રીતે કનડે છે તેમને ચલાવી નહીં લેવામાં આવે.
ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં તમે કરી બતાવ્યું છે, હવે નગરપાલિકા અને તાલુક-જિલ્લા પંચાયતમાં કરી બતાવવાનું છે, આંતરિક મતભેદ ભૂલીને કામ કરજો.
કલોલમાં નીતિન પટેલે આડકતરી રીતે ચીમકી આપી. નીતિન પટેલે કહ્યું કે પ્રજા-વેપારીઓને જે લોકો કનડે છે તેમને નહીં છોડીએ. અને ખોટા માણસોને નહીં ચલાવી લેવાય
આરોગ્ય કર્મીઓની હડતાળ મુદ્દે નીતિન પટેલનું નિવેદન
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે નિવેદન આપ્યું છે કે દરેક કર્મચારીઓએ પોતાની ફરજ બજાવવી જોઇએ. કર્મચારીઓએ કોઇપણ શરત વગર ફરજ પર પરત ફરવું જોઇએ. એપેડેમીક એકટ મુજબ કર્મચારી સામે કાર્યવાહી થશે.