10 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી છે જેને કારણે હજુ બે દિવસ સુધી વરસાદ સૌરાષ્ટ્રને ઘમરોળશે. 10 સપ્ટેમ્બર બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે જેને કારણે વરસાદ હળવો થવાની વકી છે.
દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સુચન આપ્યુ છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગઈકાલ સાંજથી મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે. જામનગરમાં ભારે વરસાદને કારણે 16 ડેમ ઓવરફ્લો થયા છે.
જામનગરમાં વરસાદને કારણે ડેમ છલાકાયા
જામનગર પર મેઘરાજા મહેરબાન થતા ડેમો છલકાયા છે. ભારે વરસાદથી જિલ્લાના 16 ડેમ થયા છે ઓવરફ્લો થયા છે જેમાં પન્ના, ફુલજર-1, ફોફળ-2,ઉન્ડ 1-2-3 અને 4 ડેમ, આજી-4, રંગમતી, કંકાવતી,વોડીસાંગ અને સસોઈ ડેમ, રૂપારેલ, બાલંભડી અને ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થયા છે.
જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ભારે વરસાદ છે. જેમાં જામનગરમાં 4 ઈંચ, કાલાવડમાં 2 ઈંચ, લાલપુરમાં 2.5 ઈંચ, જામજોધપુરમાં 2.5 ઈચ, ધ્રોલમાં 2 ઈંચ, જોડિયામાં 5 ઈંચ વરસાદ છે. પોરબંદરમાં ડેમમાં પાણીની આવક વધી
પોરબંદરના મહત્વના 2 ડેમમાં પાણીની આવક થી છે. સારા વરસાદથી ડેમોમાં પાણીની આવક વધી છે. પોરબંદરની જીવાદોરી ફોદાળા ડેમમાં 23.5 ફૂટ પાણી ભરાયુ છે જ્યારે ખંભાળા ડેમમાં 17 ફુટ પાણી આવ્યા છે. પોરબંદર શહેરને એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીની આવક થઈ છે.
જૂનાગઢ જિલ્લામાં સીઝનનો 100 ટકા વરસાદ
જૂનાગઢ જિલ્લામાં આ સીઝનનો 100 ટકા વરસાદ નોંધાયો છે. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.. જિલ્લાના 9 તાલુકામાં સરેરાશ 90 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.. ચોમાસાની સીઝનમાં વિસાવદર તાલુકામાં સૌથી વધુ 51 ઇંચ વરસાદ વરસ્યો છે.. જ્યારે માંગરોળમાં સૌથી ઓછો 24 ઈંચ વરસાદ નોંધાયો છે.. વંથલીમાં 40 ઈચ, માણાવદર-માળીયામાં 36 ઈચ અને કેશોદમાં 27 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગઈકાલથી અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં કેશોદમાં 3.5 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ વરસાદ, માળિયામાં 5 ઈંચ, માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ, જૂનાગઢમાં અડધો ઈંચ, ભેસાણમાં અડધો ઈંચ, મંદરડામાં અડધો ઈઁચ, વંથલીમાં સવા ઈંચ, વિસાવદરમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજકોટમાં ખોખલદળ ગામની નદીમાં પૂર
રાજકોટમાં પણ ભારે વરસાદ થતા ખોખળદળ ગામની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર આવતા નદીના પુલ પરથી અવર-જવર બંધ કરવામાં આવી છે. નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા તંત્ર પણ એલર્ટ થયુ છે. તંત્ર દ્વારા સ્થાનિકોને નદીનો રસ્તો ન ઓળંગતા અપીલ કરવામાં આવી છે.. સાથે જ કોઈ અનિચ્છનિય બનાવ ન બન તે માટે કોઝવે પર SRPનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દ્વારકાના ટંકારીયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
દ્વારકાના ટંકારીયા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુરના ટંકારીયા ગામમાં સાત ઈંચ વરસાદ થતા ચારે તરફ પાણી ભરાયા છે. ભારે વરસાદ થતા કલ્યાણપુર તાલુકાના તમામ તળાવો છલકાયા છે.. ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. કલ્યાણપુરના ટંકારીયા ગામે 7 ઇંચ વરસાદ
7 ઇંચ વરસાદથી ગામમાં ચારે તરફ પાણી જ પાણી જેવો ઘાટ છે. કલ્યાણપુર તાલુકાના તમામ તળાવો છલકાયા છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
દ્વારકાના જામ કલ્યાણપુરનું અમીયાણા તળાવ ઓવરફ્લો
જામ કલ્યાણપુરનું સૌથી મોટું અમીયાણા તળાવ ઓવરફ્લો થયુ છે. આ તળાવ 585 ફૂટ લંબાઇ અને 12 ફૂટ ઉંડાઇ ધરાવે છે. 4 ગામો માટે અમીયાણા તળાવ આશીર્વાદ રૂપ છે.
જો કે છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ઉનામાં પોણો ઈંચ, કોડીનારમાં 5 ઈંચ, તાલાળામાં 2.5 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ, સુત્રાપાડામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.