કોરોના કાળમાં દસ્તાવેજ નોંધણી કરાવનારા લોકો માટે મહત્વના સમાચાર આવ્યાં છે. જેમાં દસ્તાવેજ નોંધણી માટેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ઓનલાઇન ટોકનની યાદીમાં વેઇટિંગ વધવાના કારણે સરકાર દ્વારા રાજ્યની 15 સબ રજીસ્ટ્રાર કચેરીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
દસ્તાવેજ નોંધણી માટે સમયમાં વધારો
રાજ્યની 15 સબ રજીસ્ટ્રાર કચેરીના સમયમાં વધારો
ઓનલાઈન ટોકન લિસ્ટમાં વેઇટિંગ વધતા નિર્ણય
રાજ્યમાં મકાનની ખરીદી કરનારાઓ માટે ખૂબ અગત્યના સમાચાર આવ્યાં છે. હાલમાં ઓનલાઇન ટોકન લિસ્ટમાં વેઇટિંગ વધતા રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સમીક્ષા કરવા દરમિયાન વેઇટિંગ લિસ્ટ ધ્યાનમાં આવતા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર દ્વારા વધતા વેઇટિંગ લિસ્ટને લઇને દસ્તાવેજે નોંધણીનો સમય વધારવામાં આવ્યો છે. જેમાં સવારે 10.30થી રાત્રે 9 વાગ્યા સુધી હવે દસ્તાવેજની નોંધણી થઇ શકશે. સરકાર દ્વારા વધારેયાલ સમયના આધારે ટોકન ફાળવવા હુકમ કરવામાં આવ્યો છે.
જાણો કઈ સબ રજીસ્ટ્રાર કચેરીનો સમય વધારાયો?
સરકાર દ્વારા દસ્તાવેજ નોંધણી માટે સબ રજીસ્ટ્રારની કચેરીઓના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર, કલોલ, પાલનપુર, ગાંધીધામ, ગોધરા, રાજકોટ, રતનપર, રૈયા, મવડી, કતારગામ, અઠવા, કામરેજ, માંગરોળ, વડોદરા તેમજ આણંદનો સમાવેશ થાય છે.