પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલા હુમલાને લઈને દેશભરના ડૉક્ટરમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના તમામ ડૉક્ટરો પણ હડતાળ પર ઉતર્યા છે. આજે રાજ્યભરમાં હડતાળને પગલે OPD સેવાઓ બંધ રાખવામાં આવી છે. જ્યારે ઈમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવી છે.
આ હડતાળમાં વડોદરાના હોમિયોપેથિક ડૉક્ટરો જોડાયા છે. વડોદરાના 3 હજાર જેટલા ડૉક્ટરો જોડાયા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડૉક્ટરો પણ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં રાજકોટમાં 1650 ડૉક્ટરો પણ જોડાયા છે. સાથે જ સુરતની સિવિલ અને સ્મિમરે હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. સુરતના 200 હોસ્પિટલના 4 હજાર જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.
અમદાવાદના તબીબોની હડતાળનો મામલો
અમદાવાદમાં આવેલી GCS મેડિકલ હોસ્પિટલ ખાતે ડોકટરોએ પણ હડતાળ કરીને વિરોધ નોંધાવ્યો છે. આ દરમિયાન તબીબોએ વી વોન્ટ જસ્ટીસના નારા પણ લગાવ્યા હતા. હડતાળને પગલે સારવાર માટે આવતા દર્દીઓની હાલત કફોડી બની છે.
અમદાવાદમાં તબિબોની હડતાળને પગલે દર્દીઓ રઝળ્યા છે. દર્દીઓની હાલાકીને પગલે VTV હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યુ હતું. દર્દીઓને ડ્રેસિંગ કરવા પણ નથી કોઈ તબિબ નથી. ગઈકાલથી આવેલા દર્દીઓ નિદાન વગર અટવાયા છે. બેડ ખૂટી પડતા દર્દીઓ પણ જમીન પર સુવા મજબૂર બન્યા છે. દર્દીઓના ભારે ધસારા વચ્ચે તબિબોની ભારે અછત સર્જાઇ છે.
સુરતઃ તબીબોએ નાટક ભજવીને નોંધાવ્યો વિરોધ
બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના સમર્થનમાં દેશભરમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં તબીબોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. તબીબોએ નાટક ભજવીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. તબીબોએ નાટક ભજવ્યું અને તબીબ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો હતો.
સુરતઃ સિવિલ, સ્મીમેરના રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ
સુરત શહેરના તબીબો વિરોધ પ્રદર્શન સાથે હડતાળ પર છે. સિવિલ, સ્મીમેરના રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર છે. આ હડતાળમાં MBBSના વિદ્યાર્થીઓ પણ હડતાળ જાડાયા. તો આ ખાનગી હોસ્પિટલોમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે. ડૉક્ટર્સની હડતાળને પગલે રાજ્યભરમાં આરોગ્યસેવા પર વ્યાપક અસર થશે.
વડોદરામાં 24 કલાક સામાન્ય સારવાર નહીં મળે
તો આ તરફ વડોદરાના પણ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં શહેરના હોમિયોપેથિક ડૉક્ટરો જોડાયા છે. આ હડતાળમાં વડોદરાના 3 હજાર જેટલા ડૉક્ટરો જોડાયા છે. હડતાળને પગલે હોસ્પિટલોમાં OPD સેવાઓ બંધ રહી છે.
DYCM નીતિન પટેલે હડતાળ પર ન જવા ડોક્ટરોને કરી છે અપીલ
ડૉક્ટર્સની હડતાળને પગલે રાજ્યભરમાં આરોગ્યસેવા પર વ્યાપક અસર થશે. તબિબની હડતાળને લઈને નાયબ મુખ્યમંત્રી નીતન પટેલ દ્વારા ડૉક્ટરોને હડતાળ પર ન જવા માટે અપીલ પણ કરી છે. આજે ડૉક્ટર્સ હડતાળ પર ઉતરતા સિવિલમાં સેવાઓ સિવાયની તમામ મેડિકલ સેવા બંધ કરવામાં આવી છે. આજે રાજ્યભરમાં ઈમરજન્સી સેવાઓ સિવાયની તમામ મેડિકલ સેવા બંધ રાખવામાં આવી છે.
ગુજરાતમાં ભાણવડ અને જામજોધપુરમાં નથી હડતાળ
દેશભરના તબીબો આજે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ગુજરાતના ભાણવડ અને જામજોધપુરના તબીબો લોકોની સેવા કરી રહ્યા છે. લોકોની સેવા કરવા માટે તબીબો હડતાળથી અળગા રહ્યા છે. હાલમાં તબીબો દ્વારા લોકોની 24 કલાક સારવાર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળના કોલકત્તામાં ડોક્ટરો પર થયેલા હુમલા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરવા માટે સહમત થયું છે. દેશમાં હાલ તબીબોની હડતાળના પગલે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતા સમજીને આવતીકાલે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેથી સુપ્રીમકોર્ટમાં આવતીકાલે ડોક્ટરોની હડતાળને લઈને સુનાવણી હાથ ધરાશે. કોલકત્તાની ઘટનાને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. અરજદારે અરજીમાં એવું પણ કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં સુરક્ષામાં વધારો કરવામાં આવે અને હોસ્પિટલમાં પણ સાદા ડ્રેસમાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવે. કોર્ટ દ્વારા આ મામલે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવે તેવી પણ માગ અરજીમાં કરવામાં આવી છે.