કચ્છમાં આવેલા હડપ્પા સંસ્કૃતિની ઝાંખી કરાવતા ધોળાવીરાનો યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ લીસ્ટમાં અપાયું સ્થાન
UNESCO દ્વારા કરવામાં આવી જાહેરાત
ગુજરાતના કચ્છમાં આવેલું છે ધોળાવીરા
ઉલ્લેખનીય છે કે,ધોળાવીરા દેશની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. ચીન ખાતે યોજાયેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં ગુજરાતની પાંચ હજાર વર્ષ પુરાણી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરાને સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. આમ ચાલુ વર્ષે ભારતના બે સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયો છે.
🔴 BREAKING!
Dholavira: A Harappan City, in #India🇮🇳, just inscribed on the @UNESCO#WorldHeritage List. Congratulations! 👏
ગુજરાતના ધોળાવીરાને ભારતના બે હડપ્પન શહેરોમાં બીજું શહેર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શહેરમાં ઇ.સ પૂર્વે 1800 થી 3000 વચ્ચે 1,200 વર્ષના સમયગાળામાં આ શહેર વસ્યું હતું. આ પુરાતત્ત્વીય સ્થળની શોધ પ્રથમ વખત 1967 માં થઈ હતી. 1990 બાદ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે વ્યવસ્થિત ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
શું છે ધોળાવીરા ?
ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે
ગુજરાતમાં કચ્છમાં ભચાઉ નજીક ખદીર બેટમાં આવ્યું છે ધોળાવીર
સિદ્ધુ ખીણ સંસ્કૃતિના સૌથી મહત્વનું કેન્દ્ર છે ધોળાવીરા
સિંધુ નદીના કાંઠે ઇ.સ. પૂર્વ 2600થી 2100 સિદ્ધુ સંસ્કૃતિનો વિકાસ થયો હતો
સિંધુ નદીના કિનારે આ સંસ્કૃતિ વિકસી હતી
ભારતમાં સિંધુ સંસ્કૃતિના સૌથી મોટું કેન્દ્ર છે ધોળાવીરા
ધોળાવીરા 54 એક વિસ્તારમાં ફેલેયાલું છે
સદીઓ પહેલા ધોળાવીરા આધુનિક શહેર હતું
તેમની પ્લાનિંગ અને વ્યવસ્થા વિશ્વની સૌથી આધુનિક વ્યવસ્થા કહેવાય છે
આજના ટાઉન પ્લાનિંગને ટક્કર મારે તેવું પ્લાનિંગ હતું સિંધુ સંસ્કૃતિનું
1989માં ધોળા વીરા શહેરના ભારતીય આર્કોલોજીકલ વિભાગે શોધ્યું હતું
ધોળાવીરામાં લોકો તે સમયે મેસોપોટેમિયા, મિસ્ર સાથે વેપાર કરતા હતા
હડપ્પન સંસ્કૃતિની મહો-જો-દડો પછીની ધોળાવીરા મોટી સાઇટ છે
ધોળાવીરાના ખનનમાં હાડકા, સોનુ, ચાંદી,વાસણ વગેરે મળી આવ્યા છે
ધોળાવીરા જે લીપી મળી આવી છે આજે પણ વણઉકેલાયેલી છે
ધોળાવીરાના લોઅર ટાઉન અને મીડલ ટાઉન એમ બે રીતે ભાગ પડે છે
ધોળવીરામાં એક્રોપોલીસ એરિયા હતો જેમા રાજા રહેતા હતા
મીડલ અને લોઅર ટાઉનમાં વેપારીઓ અને સ્થાનિક પ્રજાજનો રહેતા હતા
ઉત્તમ ટાઉન પ્લાનિંગ અને સભ્યતાનું મોટું ઉદાહરણ હતું ધોળાવીરા
તેલંગાણામાં આવેલા રામપ્પા મંદિરને પણ મળ્યો છે વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો
તેલંગાણાના પાલમપેટમાં આવેલા મશહૂર કાકતીય રૃદ્રેશ્વર મંદિરને વિશ્વ ધરોહરમાં સામેલ કરાયું છે. યુનેસ્કોએ તેની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં તેને સ્થાન આપ્યું છે.કાકતીય રૃદ્રેશ્વર મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને લખ્યું કે શાનદાર, તમામ દેશવાસીઓને ખાસ કરીને તેલંગાણાના લોકોને અભિનંદન. પ્રતિષ્ઠિત રામપ્પા મંદિર મહાન કાકતીય વંશના ઉત્કૃષ્ટ શિલ્પ કૌશલને પ્રદર્શિત કરે છે. હું તમને બધાને રાજસી મંદિર પરિસરની યાત્રા અને તેની ભવ્યતાના પ્રત્યક્ષ અનુભવ મેળવવાનો આગ્રહ કરુ છું.
રામપ્પા મંદિરની શું છે મંદિરની વિશેષતા
આ મંદિર વારંગલથી 77 કિમી દૂર આવેલું છે. કાકતીય વંશના શાસન દરમિયાન તેનું નિર્માણ થયું હતું. રાજા રુદ્રદેવે તેને બંધાવ્યું હતું. તેના શિલ્પકાર હતા રામપ્પા. તેમને નામે આ મંદિરનું નામ રાખવામાં આવ્યું છે.કાકતીય મંદિર 800 વર્ષ જુનું હોવાનું મનાય છે તે સમયે માર્કો પોલો ભારત આવ્યાં હતા ત્યારે તેમણે આ મંદિરને ચમકતો તારો ગણાવ્યું હતું. આ મંદિરમાં શિવ, શ્રી હરિ અને સૂર્ય દેવતાની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિરનું વિશાળ પ્રવેશદ્વાર, હજારો સ્તંભો અને મનમોહક કોતરણી આકર્ષણનું મુખ્ય કેન્દ્રબિંદુ છે.