ભૂમાફિયા ગણાતા જયેશ પટેલની એક વાયરલ ઓડિયો ક્લિપમાં સાસંદ પૂનમ માડમનું નામ આવતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડાજાએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને ખુસાસો કર્યો હતો કે, અમારે કોઈ જયેશ પટેલ કે અસામાજીક તત્વો સાથે કોઈ સંબધ નથી.
ગુંડા તત્વો સાથે મારુ નામ જોડવા પાછળ ષડયંત્ર: ધર્મેન્દ્રસિંહ જાડેજા
મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ભૂમાફિયા જયેશ પટેલ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. જયેશ પટેલ સાથેના સંબંધોન આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. પાયાવિહોણા આક્ષેપો સામે તપાસની માંગ કરી છે. ગુંડા તત્વો સાથે મારુ નામ જોડવા પાછળ ષડયંત્ર યોજાયુ છે.
કોઈ પુરાવા હોય તો રજૂ કરે હું જવાબ આપીશ
મારી રાજકીય કારકિર્દી સ્વચ્છ અને નિષ્કલંક છે. આક્ષેપબાજી કરી રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાનો ઇરાદો છે. . આક્ષેપોમાં જરા પણ તથ્ય નથી. જયેશ પટેલ કે અસમાજિક તત્વો સાથે મારે કોઈ સબંધ નથી. કોઈ પુરાવા હોય તો રજૂ કરે હું જવાબ આપીશ. આક્ષેપ પુરવાર થાય તો સજા ભોગવા તૈયાર છુ. સરકારી ડિપાર્ટમેન્ટ યોગ્ય રીતે તપાસ કરાવે. જમીન પચાવી પાડવાના આક્ષેપો ખોટા છે. જેટકોના કામ અમારા પરિવારના સભ્યોએ કર્યા જ નથી. કંપનીઓને ડરવ્યા-ધમકાવ્યાની વાત પાયાવિહોણી છે.