ગુજરાતમાં કોરોના વાયરસના 542 કેસ થયા છે. જેમાં 26 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને તબલીગી જમાતીઓ વિશે પણ માહિતી આપી હતી. આ અંગેની પત્રકાર પરિષદમાં સુરાવલી જમાતના જમાતીઓ ગુજરાતમાં હોવાનો ખુલાસો થયો હતો.
કાયદો અને વ્યવસ્થા મુદ્દે DGP શિવાનંદ ઝાનું નિવેદન
નકલી પાસવાળા લોકો સામે ગુનો બને
સુરાવલી જમાત 13 પોઝિટિવ છે
ગુજરાતમાંથી સુરાવલી જમાતના 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ભરૂચમાંથી 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચના 8 પોઝિટિવ કેસમાંથી 7 કર્ણાટકના રહેવાસી છે.
અમદાવાદમાંથી સુરાવલી જમાતના 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદના 5 કેસમાંથી 4 લોકો હરિયાણાના રહેવાસી છે.
સુરાવલી જમાત ગ્રુપના 13 કેસોની વિગત
કર્ણાટકના 7,
હરિયાણા 4,
ભરૂચ 1,
અમદાવાદ 1
કાયદો અને વ્યવસ્થા મુદ્દે DGP શિવાનંદ ઝાનું નિવેદન
હોટસ્પોટ સ્થળો પર વધુ ફોક્સ આપવામાં આવશે. પેટ્રોલિંગ ટીમની સંખ્યા વધારાશે. ક્લસ્ટર કન્ટેમેન્ટ વિસ્તારમાં બેરિકેડિંગ કરાશે. સમગ્ર વિસ્તારમાં નજર રાખી શકાય તેવું આયોજન કરાયું છે. ચેકપોસ્ટની સંખ્યા પણ વધારાશે.
ધાબા પોઇન્ટ પરથી મોનિટરિંગ કરાશે
સોસાયટીઓના CCTV ફૂટેજ પોલીસ ચેકિંગ કરશે. લોકડાઉનનો ભંગ ધ્યાને આવશે તો ગુનો દાખલ કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં આગેવાનો અને પોલીસમિત્ર લોકડાઉનનો અમલ કરાવે છે. ગામમાં કોરોના અંગે લક્ષણ જણાય તો તાત્કાલિક જાણ કરે.
નકલી પાસવાળા લોકો સામે ગુનો બને
નકલી પાસવાળા લોકો સામે ગુનો દાખલ કરાયો છે. આરોપી લોકડાઉનમાંથી રાહત મેળવવા ખોટા પાસ બનાવે છે. આ લોકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે.
કેટલા ગુના નોંધાયા?
રાજ્યમાં જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 3271 છે. કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા 1185 છે. અન્ય ગુનાઓ 491 છે. 7258 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. 2830 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓની સંખ્યા 438 છે. CCTVની મદદથી દાખલ CCTV ફૂટેજના આધારે 774 ગુના, 1305 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અફવા ફેલાવનાર 479 આરોપીઓની ધરપકડ કરાઇ છે. 5 સોશિયલ મીડિયા એકાઉન્ટ સીઝ કરાયા છે.