સરકારની ‘મા કાર્ડ’ યોજનાનાં કેટલીક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. આજનાં રોજ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારી યોજનાઓનું અમલીકરણ ન કરનાર હોસ્પિટલો સામે સરકાર પગલાં લેવામાં નિષ્ફળ કેમ તે અંગે સવાલો કર્યા હતા. ત્યારે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે તેનો જવાબ આપ્યો હતો.
રાજ્યભરમાં ગરીબોને મફતમાં સારવાર મળી રહે તે માટે સરકારે માં કાર્ડની સુવિધા શરૂ કરી છે. માં કાર્ડ હોવા છતા પણ અમદાવાદની અનેક હોસ્પિટલો હજી પણ રૂપિયા વસુલે છે. ત્યારે આ ઘટના બાદ સરકારે 6 હોસ્પિટલને બરતરફ કરેલ છે અને હોસ્પિટલ પાસેથી નાણાં વસૂલ કરીને દર્દીઓને પરત પણ કર્યા છે. તો બીજી તરફ સરકારે 10 હોસ્પિટલને માત્ર નોટિસ જ ફટકારી છે અને દર્દીઓને નાણાં પણ પરત કરાયા છે.
તમને જણાવી દઇએ કે સરકારની ‘મા કાર્ડ’ યોજનાનાં કેટલીક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. આજનાં રોજ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારી યોજનાઓનું અમલીકરણ ન કરનાર હોસ્પિટલો સામે સરકાર પગલાં લેવામાં નિષ્ફળ કેમ તે અંગે સવાલો કર્યા હતા. ત્યારે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે તેનો જવાબ પણ આપ્યો હતો.
હોસ્પિટલમાં વસુલાતને લઈને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગૃહમાં સવાલ ઉભો કર્યો હતો. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે જવાબ પણ આપ્યો હતો કે, 'અમદાવાદની 17 નામાંકિત હોસ્પિટલોમાં 2 વર્ષમાં માં કાર્ડ હોવા છતા રૂપિયા વસુલવામાં આવે છે. જેમાં ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, બોડી લાઈન હોસ્પિટલ, પારેખ હોસ્પિટલ, સેવીયર હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ, નરોડામાં આવેલી શેલબી હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ, નારાયણ રૂદયાલાય હોસ્પિટલ, GCS મેડિકલ કોલેજ, આનંદ સર્જીકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, HSG મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, લાઈફકેર ઈન્સ્ટ્રીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, શિવાલીક હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ અને સાલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. આવી હોસ્પિટલોને ફરજ પાડવાના બદલે સરકારે બરતરફ કરી છે અને નોટિસ પણ આપી છે. દર્દીઓ પાસેથી લીધેલા પૈસા પણ હોસ્પિટલ પાસેથી લઇને સરકારે દર્દીઓને પરત આપ્યા છે.'
રાજ્ય સરકારે બરતરફ કરી લાભાર્થીના પૈસા પરત લીધા હોય તેવી હોસ્પિટલઃ