આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે. જેની ''ગુજરાત ગૌરવ દિવસ'' તરીકે આવતીકાલે ઉજવણી થવાની છે. તેની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને સંદેશ આપવામાં આવ્યો હતો.
CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી
આવતીકાલનો દિવસ ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવાશે
રાજ્યના વિકાસના પાયામાં સુશાસન હોય છેઃ CM
આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આપણા ગરવા ગુજરાતનો આ 62 મો સ્થાપના દિવસ છે.
ગુજરાત સ્થાપના દિવસ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલનો સંદેશ
ગુજરાત સ્થાપના દિવસની પૂર્વસંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના નાગરિકોને સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતની પ્રજાએ સરકાર પર ભરોસો મુક્યો છે.
તેમણે કહ્યું હતું કે અમે ગુજરાતની જનતાના ઋણનો સ્વીકાર કરીએ છીએ.
ગુજરાતે દેશને વિકાસની રાજનીતિ તરફ વાળ્યોઃ CM
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના રાજમા વિકાસની રાજધાનીનો નવો જ અધ્યાય રચાયો છે. ગુજરાતે વિકાસ કેવો હોય અને વિકાસની રાજધાની કેવી હોય તે સૌનો સાથ અને સૌનો વિકાસ કરીને દેશ અને દુનિયાને બતાવ્યું છે.
પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિથી દેશના જનજનમાં નવી આશાનો સંચાર થયો છે. આપણે તેમના જ નેતૃત્વમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે જેમાં કેટલાક સંકલ્પો લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ કરી આગળ વધી રહ્યા છીએ. આ દિવસ આણા સૌ માટે વિશેષ છે.
PM મોદીના આપેલ સંકલ્પો પૂરા કરીએ
તેમણે કહ્યું હતું કે ગુજરાતના સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે PM મોદીના આપેલ સંકલ્પો પૂરા કરીએ. ધરતિમાતાનું અને આપનું સ્વાસ્થ્ય સુધારવા રાસાયણિક મુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક તરફ વળીએ. આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડીએ. પાણી બચાવીએ અને વીજળી બચાવીએ. જળસંચય માટે જિલ્લા દીઠ 75 જળાશયો બનાવીએ. સૂર ઉર્જાનો ઉપયોગ વધારીએ. અને વિકાસની નવી ઊંચાઈએ ગુજરાતને પહોંચાડીએ. જય જય ગરવી ગુજરાત.