બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / બંને દીકરાઓની ધરપકડ પર મંત્રી બચુ ખાબડે સેવ્યું મૌન, મનીષ દોશીએ કહ્યું 'રાજીનામું લેવામાં આવે'

આંખ મિચોલી / બંને દીકરાઓની ધરપકડ પર મંત્રી બચુ ખાબડે સેવ્યું મૌન, મનીષ દોશીએ કહ્યું 'રાજીનામું લેવામાં આવે'

Last Updated: 01:04 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dahod MNREGA scam : દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા બન્યા, મંત્રી બચુ ખાબડે બે દિકરાઓની ધરપકડ પર મૌન સેવ્યું

Dahod MNREGA scam : દાહોદ મનરેગા કૌભાંડમાં ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ સંપર્ક વિહોણા બન્યા છે. આ તરફ મંત્રીના બીજા દીકરાની પણ ધરપકડ કરાઇ છે. આ બધાની વચ્ચે મંત્રી બચુ ખાબડના બે દિકરાઓની ધરપકડ પર મૌન સેવ્યું છે. આ સાથે મંત્રી બચુ ખાબડ વિસ્તારમાં જાહેર કાર્યક્રમોમાં દેખાવાનું ટાળ્યું છે. આ તરફ ગાંધીનગર ખાતે કાર્યાલયમાં પણ મંત્રીનું ખાબડની અનુપસ્થિતિ જોવા મળી રહી છે.

દાહોદમાં પુત્રએ કરેલા મનરેગા કૌભાંડ પર મંત્રી બચુ ખાબડ ગાયબ થયા છે. આ તરફ રાજ્ય સરકારે પણ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ પર મૌન સેવ્યું છે. લાંબા સમયથી મંત્રી બચુ ખાબડ પુત્રના કૌભાંડ પર બોલવાનું ટાળ્યું છે. આ તરફ મંત્રીના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે.

મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રની ધરપકડને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, ગરીબોના હક પરત ભાજપના મંત્રીના પુત્રએ જ તરાપ મારી છે. સરકારમાં મંત્રી હોય અને કૌભાંડમાં સામેલ હોય તો યોગ્ય તપાસ થાય ? આ સાથે મંત્રી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. CM ભૂપેન્દ્ર પટેલ મંત્રી બચુ ખાબડને જવાબદારીમાંથી મુક્ત કરે તેવી કોંગ્રેસની માંગ છે. આ સાથે આદિવાસી વિસ્તારમાં તપાસ થાય તો અનેક કૌભાંડ થયા છે તે બહાર આવશે તેવું નિવેદન મનીષ દોશીએ આપ્યું છે.

વધુ વાંચો : મિનરલ વોટરની આડમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી! રૂ. 46.12 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો

શું છે સમગ્ર કૌભાંડ?

મનરેગાના વર્ષ 2021 થી 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે.. રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરીયાદ દાખલ કરી હતી. આ સમગ્ર મામલામાં જુદી જુદી 25 એજન્સીઓ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં દેવગઢબારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dahod MNREGA scam Bachu Khabad MNREGA scam
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ