ગુજરાત સરકાર સબસલામતના દાવા કરે છે પણ સગીરા ઉપર અને બાળકીઓ ઉપર દુષ્કર્મ અને જાતીય સતામણી સહિતની ઘટનાઓએ માઝા મુકી છે. દાહોદમાં સગા મામાએ સાત વર્ષની બાળકીને પીંખી નાંખી હતી અને ત્યારબાદ તેની હત્યા કરી નાંખી હતી.
દાહોદના ગરબાડા 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરીને કરાઈ હત્યા
બાળકીના કૌટુંબિક મામાએ જ ગત રાત્રીએ આચર્યુ કૃત્ય
અપહરણ બાદ નળવાઈની ઝાડીઓમાં આચર્યુ હતુ દુષ્કર્મ
દાહોદના ગરબાડામાં 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી છે. બાળકીના કૌટુંબિક મામાએ જ કૃત્ય આચર્યુ હોવાનું સામે આવ્યુ છે.
મોડી રાતે આચર્યુ દુષ્કર્મ
ગત મોડીરાત્રે બાળકીનું મામાએ અપહરણ કર્યુ હતુ. અપહરણ કર્યા બાદ નળવાઈની ઝાડીઓમાં બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ.
હત્યાના ગુનામાં ઝડપાયો હતો આરોપી
આરોપી હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા SP સહિતના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આરોપીની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં વધી રહ્યા છે કિસ્સા
ગુજરાતમાં કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત બાળકીઓ ઉપર દુષ્કર્મ અને જાતીય સતામણીના કિસ્સા વધી રહ્યા છે.