પાક વિમાને લઇને ખેડૂત એકતા મંચ દ્વારા જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વિમામાં કૌભાંડ થયાનો આરોપ કરાયો છે. ખેડૂત એકતા મંચે આરોપ લગાવ્યો છે કે જૂનાગઢના માણાવદરમાં 76 હજાર 397 પાક વીમો ખેડૂતોને મળવા પાત્ર હતો. સરકારે અને વીમા કંપનીઓએ 14.20 ટકા વીમો જાહેર કર્યો હતો.
જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં કૌભાંડ!
પાક વિમામાં કૌભાંડ!
ખેડૂતો સાથે અન્યાય કેમ?
આ સાથે જ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.12,070 પાક વીમો અપાયો. જો કે ખેડૂતોને 89.87 ટકા પાક વીમો મળવા પાત્ર થતો હતો. એટલે કે પાક વીમામાં 75.67 ટકા રકમનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો છે. અને હેક્ટર દીઠ ખેડૂતોના હકના રૂ.64,327 કંપનીઓ ચાંઉ કરી ગઇ છે.
મુળીમાં પણ પાક વીમામાં કૌભાંડ
જ્યારે સુરેન્દ્રનગરના મુળીમાં પણ પાક વીમામાં કૌભાંડ થયું છે. નિયમ પ્રમાણે 68.89 ટકા પાક વીમો મળવા પાત્ર હતો પરંતુ સરકારે નિયમો નેવે મુકી 11 ટકા પાક વીમો જાહેર કર્યો હતો. અને ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.55,112 મળવા પાત્ર હતા તેની સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.8800 પાક વીમો અપાયો.
રૂ.46,312 કંપનીઓ ચાંઉ કરી ગઇ
એટલે કે હેક્ટર દીઠ રૂ.46,312 કંપનીઓ ચાંઉ કરી ગઇ જેને લઇ ખેડૂત એકતા મંચએ આરોપ કર્યો છે કે આ કૌભાંડમાં સરકાર સંડોવાયેલી છે. એક જિલ્લામાં 550 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે.