ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 થી 11 ફેબ્રુઆરી દરમિયાન રમાવનારી ત્રણ ODI સિરીઝ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)એ મહત્વની જાહેરાત કરી છે.
GCA દ્વારા INDvsWI ODI સિરીઝને લઈ મહત્વની જાહેરાત
દર્શકોને નહીં મળે મોદી મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી
6 થી 11 ફેબ્રુઆરી દરમિયાન રમશે ODI સિરીઝ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ મેચની વનડે સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સિરીઝ માટે દર્શકોની હાજરીને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. GCA એ મંગળવારે પુષ્ટિ કરી કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી ત્રણ મેચની ODI સિરીઝ બંધ દરવાજા પાછળ રમાશે. મતલબ કે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
GCA ટ્વિટર કરીને આપી મહત્વની જાણકારી
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે, "પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ મેચો બંધ દરવાજા પાછળ રમાશે"
We are all set to host West Indies Tour of India ODI Series 2022.
1st ODI on 6th of Feb will be a very special and historic match as India will be playing it's 1000th ODI. Indian team will be the first cricket team in the world to achieve this feat.@BCCI#INDvsWI#teamindiapic.twitter.com/OUD7nipQZr
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) February 1, 2022
GCA દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "અમે વેસ્ટ ઈન્ડિઝ ટૂર ઓફ ઈન્ડિયા ODI સિરીઝ 2022 ની યજમાની કરવા માટે તૈયાર છીએ. 6 ફેબ્રુઆરીએ રમાનારી 1લી ODI ખૂબ જ ખાસ અને ઐતિહાસિક મેચ હશે કારણ કે ભારત તેની 1000મી ODI રમશે. ભારતીય ટીમ આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ હશે."
કોલકાતામાં રમાશે ત્રણ મેચની T20I સિરીઝ
અગાઉ, પશ્ચિમ બંગાળ સરકારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી ત્રણ મેચની T20I સિરીઝ માટે 75 ટકા દર્શકોની હાજરીને મંજૂરી આપી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI પછી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ત્રણ મેચની T20I સિરીઝ રમાશે.
સ્ટેડિયમમાં 75 ટકા દર્શકોની અપી હતી મંજૂરી
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના પ્રમુખ અવિશેક દાલમિયા દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે માનનીય મુખ્યમંત્રી મમતા બેનર્જી, મુખ્ય સચિવ અને પશ્ચિમ બંગાળ સરકારના આભારી છીએ કે તેમણે રમતગમતની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી તેમજ સ્ટેડિયમમાં 75 ટકા દર્શકોની ક્ષમતાના પાછી લાવવાની મંજૂરી આપી.