દેશમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે, જુલાઈ મહિનામાં સતત કેસમાં વિસ્ફોટ જોવા મળ્યો હતો ત્યાં ઓગસ્ટના શરુઆતના દિવસોમાં પણ કોરોનાએ રેક્રોડ તોડ્યા હતા ત્યારે આજે વડાપ્રધાન મોદીએ કોરોના મુદ્દે બેઠક કરી અને તેમાં ગુજરાત સહીતના રાજ્યોને ટકોર કરી કે ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા કરાયેલી આ ટકોરને પગલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50,124 ટેસ્ટિંગ કરાયા છે.
ગુજરાતમાં પ્રથમ વખત 50 હજારથી વધુ ટેસ્ટિંગ કરાયા
PM મોદીની ટકોર બાદ પ્રથમ વખત બની ઘટના
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીની ઝાટકણી બાદ પ્રથમ ઘટના હશે કે અત્યાર સુધીમાં કોરોના વાયરસના 50 હજારથી વધારે કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 11,09,005 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
છેલ્લા 5 દિવસમાં ગુજરાતમાં કરાયેલા કોરોના ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો
છેલ્લા 24 કલાકમાં 1152 નવા કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1152 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 74,390 પર પહોંચ્યો હતો.
ગુજરાતમાં સાજા થવાનો દર 77.15 ટકા થયો
ઉલ્લેખનીય છે કે, આજે 977 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 57,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 77.15 ટકા થયો છે.આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, મહિસાગર, જામનગર, દાહોદ, અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે.
1611 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈન કરાયા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,94,121વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,92,551 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1611 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
PMએ ટેસ્ટિંગ વધારવા માટે આ તર્ક આપ્યો
પીએમ મોદીએ ગઇકાલે યોજાયેલી બેઠકરમાં કહ્યું કે નિષ્ણાતોએ કહ્યું છે કે 72 કલાકમાં જ જો કોરોના વાયરસની ઓળખ થઇ જાય તો જીવ બચાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે હવે 72 કલાકના ફોર્મ્યુલા પર ફોકસ કરવું પડશે. જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળે તેના 72 કલાકની અંદર સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટિંગ ફરજીયાત કરી દેવામાં આવે. દિલ્હી અને યુપીમાં પરિસ્થિતિ ડરામણી હતી પરંતુ ટેસ્ટિંગનું પ્રમાણ વધારતા હવે હાલત સુધરી છે.
દસ જ રાજ્યોમાં છે સૌથી વધુ એક્ટિવ કેસ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આટલા મોટા સંકટ દરમિયાન સાથે મળીને કામ કરવાની જરૂર છે. આજે 80 ટકા એક્ટિવ કેસ માત્ર દસ જ રાજ્યોમાં છે અને દેશમાં એક્ટિવ કેસ છ લાખથી પણ વધારે છે. મોટા ભાગના કેસ દસ જ રાજ્યોમાંથી એટલે આ રાજ્યોની ચર્ચા જરૂરી છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં મૃત્યુદર, પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે અને રીકવરી રેટ વધી રહ્યો છે. પીએમ બોલ્યા કે ટેસ્ટિંગ સતત વધારતા રહેવું પડશે અને મૃત્યુદર એક ટકાથી પણ ઓછું કર દેવું પડશે. નોંધનીય છે કે આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, બિહાર સહીત દસ રાજ્યોના સીએમ સામે છે જ્યાં કોરોના વાયરસનાં કેસ સૌથી વધુ છે.