ગુજરાતમાં ફરી કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 4710 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4710 કેસ
સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1451 કેસ
34 લોકોએ ગુમાવ્યો જીવ
ગુજરાતમાં ફરી કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 4710 કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતાના મોજું હળવું થયું હતું. 11,184 દર્દીઓ સાજા થયા હતા. કુલ મૃત્યુઆંક 34 પહોંચ્યો હતો.
ગુજરાતમાં ગઈકાલે 6,097 કેસ કોરોના પોઝિટિવ આવતા ચિંતાના મોજું ફરી વળ્યું હતું પરંતુ આજે ફરી કેસ સંખ્યામાં રાહત મળી છે.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.85 ટકા પહોંચ્યો છે. અને કુલ 2,71,887 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
કયા શહેરમાં કેટલા કેસ?
આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1451 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 174 કેસ તો રાજકોટ શહેરમાં 137 કેસ, વડોદરા શહેરમાં 781 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 242 કેસ, ભાવનગર શહેરમાં 36 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
34 લોકોએ ગુમાવ્યો જીવ
કોરોનાને લીધે 34 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 11,184 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 51013 સુધી પહોંચી ગઈ છે. જેમાં 236 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં ગઈકાલે અમદાવાદ શહેરમાં 1,985 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 204 કેસ તો રાજકોટ શહેરમાં 237 કેસ, વડોદરા શહેરમાં 1,215 કેસ સામે આવ્યા હતા. ગાંધીનગર શહેરમાં 203 કેસ, ભાવનગર શહેરમાં 77 કેસ સામે આવ્યા હતા. જેની સામે આજે થોડી રાહત મળી હતી.