ગઈ કાલે એટલે કે 19મી એપ્રિલે કોરોના વાયરસના આગમનને ગુજરાતમાં ૧ મહિનો થયો છે. આ મહામારી તેનો રાક્ષસી પંજો રાજ્યમાં ફેલાયો છે અને અનેક વિસ્તારોને સકંજામાં લીધા છે. એવા સમયે એ જાણવું જરૂરી છે કે ગુજરાત રાજ્યમાં કયા પ્રદેશોમાં કોરોનાએ મજબૂત પકડ બનાવી દીધી છે અર્થાત કયા પ્રદેશ હોટસ્પોટ છે અને કયા પ્રદેશોમાં હજુ સુધી કોરોનાનો કોઈ કેસ આવ્યો નથી.
19મી એપ્રિલે કોરોના વાયરસના આગમનને ગુજરાતમાં 1 મહિનો થયો
કોરોના વાયરસ! વિશ્વમાં જ્યારે આ રોગ વિસ્તરી રહ્યો હતો ત્યારે સૌ કોઈ એવી પ્રાર્થના કરતા હતા કે આ રોગ ભારત સુધી પહોચે એની પહેલા એ રોકાઈ જાય. જો કે એમ બન્યું નહીં અને જોતજોતામાં આ રોગ ભારત અને ગુજરાતના આંગણે આવી ગયો. ગઈ કાલે એટલે કે 19મી એપ્રિલે કોરોના વાયરસના આગમનને ગુજરાતમાં 1 મહિનો થયો છે. આ મહામારી તેનો રાક્ષસી પંજો રાજ્યમાં ફેલાયો છે અને અનેક વિસ્તારોને સકંજામાં લીધા છે.
ગુજરાત દેશમાં ત્રીજા સૌથી વધુ કોરોનાના દર્દીઓ ધરાવે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ ધરાવતા જીલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા અને ત્યાર બાદ રાજકોટ છે. આમ જાણી શકાય છે કે વાયરસે મહાનગરોને સૌથી વધુ સંક્રમિત કર્યા છે. ગુજરાતમાં સૌપ્રથમ દર્દીઓ વિદેશયાત્રા કરીને આવેલા મુસાફરો હતા. ત્યાર બાદ બીજા તબક્કામાં લોકલ ટ્રાન્સમીશનથી ચેપ લાગવાની શરૂઆત થઇ જેમાં મરકઝની ઘટનાએ રાજ્યના કેસમાં ઓર વધારો કર્યો. અત્યારે અમદાવાદ જીલ્લો એકલો રાજ્યના કુલ કેસના 63.17% કેસ ધરાવે છે. આ સાથે જ અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરો ધરાવતા મધ્ય ગુજરાતમાં કોરોનાના કુલ કેસના તોતિંગ 76% કેસ છે.
ઉપરના નકશા પરથી જાણી શકાય છે કે ફક્ત અમદાવાદ અને વડોદરાની હાજરીને કારણે પ્રમાણમાં નાના એવા મધ્ય ગુજરાત ઝોનમાં કોરોનાના કુલ કેસીસના અધધ 76.48% એટલે કે ત્રણ ચતુર્થાંશની વધુ કેસ છે.
બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જુનાગઢ, સુરેન્દ્રનગર વગેરે જીલ્લાઓમાં એક પણ કેસ ન આવેલો હોવાથી કુલ કેસના ફક્ત 4.59% કેસ છે. જયારે સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યનો ક્ષેત્રફળ પ્રમાણે ત્રીજો હિસ્સો ધરાવે છે. એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સુરત મહાનગરને કારણે સુરત અને ભરૂચ સિવાય તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં તો 0 કેસ હોવાથી અહીં રાજ્યના કુલ કેસના 15.89% કેસ નોંધાયેલા છે.
ઉત્તર ગુજરાત આખા રાજ્યમાં સૌથી ઓછી અસર ધરાવતો પ્રદેશ છે. અહીં ગાંધીનગર અને પાટણ સિવાય તમામ જીલ્લાઓમાં કોરોનાના કેસ પ્રમાણમાં ઘણા ઓછા છે આથી રાજ્યના કુલ કેસના ફક્ત 2.87% કેસ ઉત્તર ગુજરાતના છે.
આખરે રાજ્યના સૌથી મોટા કચ્છ જીલ્લામાં NRIની સંખ્યા ઘણી વધારે રહે છે. આમ છતાં કચ્છમાં અત્યારે કોરોના નિયંત્રણમાં છે અને કુલ કેસના 0.25% કેસ જ અહીં નોંધાયા છે.
એક મહિના પહેલા બે દર્દીઓની ઓળખથી શરુ થઇ હતી રાજ્યમાં કોરોનાની હારમાળા
19મી માર્ચે સુરત અને રાજકોટમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ પ્રથમ બે દર્દીઓની ઓળખ થઇ હતી. એ 2 દર્દીમાંથી અત્યારે રાજ્યમાં એવી હાલત છે કે 19મી એપ્રિલના રાત્રે 9 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે રાજ્યમાં 1743 કોરોનાના પોઝીટીવ કેસીસ છે. રાજ્યમાં અત્યાર સુધી 26554 લોકોને ટેસ્ટ કરવામાં આવ્યો છે. 105 દર્દીઓ આ રોગથી રીકવર થઇ ચુક્યા છે. રાજ્યમાં કુલ 18540 લોકો ક્વોરનટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. 63 જેટલા દર્દીઓ આ રોગમાં મોતને ભેટ્યા છે.
રાજ્યમાં જીલ્લા પ્રમાણે કોરોનાના કેસીસ આ પ્રમાણે છે
Ahmadabad
1,101
Surat
242
Vadodara
180
Rajkot
36
Bhavnagar
32
Anand
28
Bharuch
23
Gandhinagar
17
Patan
15
Narmada
12
Banas Kantha
10
Panch Mahals
9
Chota Udaipur
7
Botad
5
Mahesana
5
Kachchh
4
Dahod
3
Porbandar
3
Kheda
2
Mahisagar
2
Gir Somnath
2
Sabar Kantha
2
Morbi
1
Jamnagar
1
Aravalli
1
Amreli
0
Dev Bhumi Dwarka
0
Junagadh
0
Surendranagar
0
Tapi
0
Navsari
0
Valsad
0
Dang
0
નોંધનીય છે કે PM મોદીએ જાહેર કરેલા અને લંબાવેલા લોક ડાઉન વચ્ચે પણ રાજ્યમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા કુદકે ને ભૂસકે વધતી જાય છે.