ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકપો યથાવત જોવા મળી રહ્યો છે. દરરોજ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કોરોનાનો કહેર અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના બેકાબુ જોવા મળ્યો છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો આંકડો 20 હજાર 480એ પહોંચ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો આંકડો 20 હજાર 480એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 15 હજાર 658 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં અમદાવાદમાં કોરોનાના 3399 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 1423 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
અમદાવાદના કયા ઝોનમાં કેટલા કેસ?
મધ્ય ઝોન 202
ઉત્તરઝોન 437
દક્ષિણ પશ્ચિમ ઝોન 422
પશ્ચિમ ઝોન 743
ઉત્તર પશ્ચિમ ઝોન 424
પૂર્વ ઝોન 345
દક્ષિણ ઝોન 448
ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 31 હજાર 397એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 22 હજાર 808 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી 1809 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં કોરોનાના 6780 એક્ટિવ કેસ છે. હાલમાં 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 6709 દર્દીઓની હાલત સ્થિર છે.