ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ હાલ રાજ્યમાં ચોમાસું જામ્યું છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જ્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં આવેલી મધ્યજેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેલમાં એકસાથે 23 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જેલ પ્રશાસન એકશનમાં જોવા મળી રહ્યું છે.
રાજકોટની મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ
એકસાથે 23 કેદીઓના રિપોર્ટ પોઝિટિવ
તમામને આઇસોલેટ કરવાની કામગીરી શરૂ કરાઇ
રાજકોટમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે હવે શહેરની જેલમાં કોરોના પહોંચી ગયો છે. શહેરની મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ થયો છે.
શહેરની મધ્યસ્થ જેલના 23 કેદીઓના રિપોર્ટ એકસાથે પોઝિટિવ આવ્યો છે. જેને લઇને જેલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. જો કે હાલ તમામ કેદીઓને આઇસોલેટ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1094 કોરોનાના દર્દીઓ નોંધાયા. જ્યારે 1015 સાજા થયા અને 19ના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ઍક્ટિવ કેસ 14359 છે જ્યારે કુલ મોત 2767 છે.
આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 77000ને પાર પહોંચ્યો છે. જ્યારે કુલ મોતની વાત કરીએ તો 2767 થયો છે અને કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 14359 છે અને 60537 દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે.