ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારા સાથે મૃત્યુદરમાં પણ વધારો જોવા મળ્યો છે. રાજ્યના રાજકોટ શહેરમાં બે દિવસમાં કોરોનાના 23 દર્દીઓના મૃત્યુઆંક નોંધાતા તંત્ર હરકતમાં જોવા મળ્યું છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાનો ભરડો
બે દિવસમાં 23 દર્દીઓના મૃત્યું થયા
રવિવારે 11 અને સોમવારે 12 દર્દીઓના મૃત્યું
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે રાજ્યમાં મૃત્યુદર પણ વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યના રાજકોટ શહેરમાં બે દિવસના મૃત્યુનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
રાજકોટમાં કોરોનાએ ભરડો લીધો છે. સિવિલમાં 2 દિવસમાં 23 લોકોના મૃત્યુના થયા છે.રવિવારે 11 અને સોમવારે 12 દર્દીઓના મૃત્યુ થયા છે. 11 થી 27 જુલાઈ સુધીમાં કોરોનાનો પોઝિટિનો રેટ વધ્યો છે.
રાજકોટ શહેરમાં 24 ટકા જ્યારે ગ્રામ્યમાં 11 ટકા રેટ થયો છે. ગોંડલ, જેતપુર અને ધોરાજી કોરોનાના નવા હોટસ્પોટ ઉમેરાયાં છે.