ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના અમદાવાદ અને રાજકોટ શહેરમાંથી કોરોનાને લઇને રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં શહેરમાં કોરોનાને લઇને ગંભીર પ્રકારના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. હાલ શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ ઘટી રહ્યાં છે.
અમદાવાદના લોકો માટે રાહતના સમાચાર
અમદાવાદમાં ગંભીર પ્રકારના કેસોની સંખ્યા ઘટી
રાજકોટવાસીઓ માટે કોરોનાને લઇ સારા સમાચાર
રાજકોટમાં મૃત્યુઆંક બાદ પોઝિટિવ કેસોમાં ઘટાડો
અમદાવાદમાં કોરોનાને લઇને હાલમાં રાહતના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. જો કે પોઝિટિવ કેસોની સંખ્યા હજુ યથાવત જોવા મળી રહી છે. જો કે કોરોનાના ગંભીર પ્રકારના કેસોની સંખ્યા શહેરમાં સતત ઓછી થઇ રહી હોવાથી એક રીતે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદના લોકો માટે રાહતના સમાચાર છે. શહેરમાં ગંભીર પ્રકારના કેસોની સંખ્યા ઘટી રહી છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
હાલ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 891 બેડ ખાલી છે. ICUમાં વેન્ટિલેટર પર હાલ 97 દર્દી સારવાર હેઠળ છે. અને સિવિલમાં કોરોનાના 230 દર્દી સારવાર હેઠળ છે.
રાજકોટવાસીઓ માટે કોરોનાને લઇ સારા સમાચાર
ગુજરાતના બીજા મોટા શહેર રાજકોટમાંથી પણ કોરોનાને લઇને સારા સમાચાર આવ્યાં છે. રાજકોટમાં મૃત્યું આંક બાદ પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. 2 મહિના બાદ 100થી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા છે.
24 કલાકમાં 97 પોઝિટિવ કેસ નોંધાય છે. આમ જિલ્લામાં કોરોનાના કેસ ઘટવાથી ખાલી બેડની સંખ્યામાં વધારો થયો છે. હાલ રાજકોટમાં કોરોનાના બેડની સ્થિતિ જોઇ તો 1803 બેડ ખાલી હોવાનું જાણવા મળ્યું છે.