ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે, તેમાં પણ ગુજરાત રાજ્યનું મહાનગર અમદાવાદ હવે હોટસ્પોટમાંથી મૃત્યુનું કેન્દ્ર બની રહ્યું છે, આખા ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ દર 9.16 ટકા છે, જેની સામે અમદાવાદનો મૃત્યુ દર 10.27 ટકા પર પહોંચી ગયો છે, છેલ્લા 84 દિવસમાં ગુજરાતમાં કુલ 1385 મોત થયા છે જેમાં માત્ર અમદાવાદમાં જ 1117ના મોત થયા છે.
1 થી 10 જૂનની વચ્ચે દિવસમાં ગુજરાતના કુલ મોતમાં 81 ટકા મોત એકલા અમદાવાદમાં
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 15,635 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 1,117ના મોત નિપજ્યા છે, અમદાવાદમાં 1 થી 10 જૂનની વચ્ચે સ્થિતિ ખૂબ વિકટ બની છે, 10 દિવસમાં ગુજરાતમાં કોરોનાને કારણે 309 લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમાંથી માત્ર અમદાવાદમાં જ 250 દર્દીના મોત થયા છે. આમ 1 થી 10 જૂનની વચ્ચે ગુજરાતના કુલ મોતમાં 81 ટકા મોત એકલા અમદાવાદ શહેરમાં થયા છે.
છેલ્લા 11 દિવસમાં 3,475 નવા કેસ આવવાની સાથે 275 દર્દીના મોત
આખા ગુજરાત અને અમદાવાદની કોરોનાની સ્થિતિ જોવામાં આવે તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 22,067 કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં જ 15,635 કેસ છે, આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારો કરતા અમદાવાદમાં ડિસ્ચાર્જની ટકાવારી પણ કેસની દ્રષ્ટિએ ઓછી છે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 10,875 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સામે રોજેરોજ 300થી વધુ દર્દી વધી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 11 દિવસમાં 3,475 નવા કેસ આવવાની સાથે 275 દર્દીના મોત થયા છે. છેલ્લા 11 દિવસમાં 7 દિવસ તો અમદાવાદમાં 300થી વધુ કેસ આવ્યા છે.
2020/6/1
22
2020/6/2
24
2020/6/3
22
2020/6/4
28
2020/6/5
30
2020/6/6
26
2020/6/7
21
2020/6/8
24
2020/6/9
27
2020/6/10
26
2020/6/11
25
ભારત વિશ્વમાં ચોથા ક્રમે
ભારતે કોરોના વાયરસથી સંક્રમિત વસ્તીના મામલે ગુરુવારે બે દેશો સ્પેન અને યુકેને પાછળ છોડી દીધાં છે. આ રીતે જોઈએ તો કોરોના કેસના મામલામાં ભારત હવે દુનિયાનો ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે. ભારતમાં ગુરુવારે સાંજ સુધી 9846 નવા કેસ સામે આવ્યા જેમાં કુલ કેસની સંખ્યા 2,97,001 થઈ હતી. જો કે ભારત કોવિડ -19 દર્દીઓના રિકવરી રેટ અને તેમના મૃત્યુદરના મામલામાં દુનિયાના કોઈ પણ દેશની સરખામણીએ સારી સ્થિતિમાં છે. ભારતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધીને હવે 49.21 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે અહીં મૃત્યુદર 1 ટકાથી પણ નીચે છે.
ગુજરાતમાં જે ડોક્ટર IAS IPS ફરજ પર છે તેમને હોસ્પિટલની જવાબદારી સોંપી શકે છે
ગુજરાત સરકાર કોરોનાને નાથવા માટે હાલ જે ડોક્ટર IAS IPS ફરજ પર છે તેમને હોસ્પિટલની જવાબદારી સોંપી શકે છે. હોસ્પિટલની વ્યવસ્થા અને મોનિટરિંગની જવાબદારી સોંપી શકે છે. હાલ ગુજરાતમાં 24 IAS IPS અધિકારી પાસે ડોક્ટરની ડીગ્રી છે. ગુજરાતમાં 15 IAS અધિકારી પાસે ડોક્ટર ડીગ્રી છે. જ્યારે ગુજરાતમાં 9 IPS પાસે ડોક્ટરની ડીગ્રી છે. ડોક્ટર IAS IPS છે ત્યાં કોરોના નાથવામાં સફળતા મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ સુરત કલેક્ટર ધવલ પટેલ ડોક્ટરની ડીગ્રી ધરાવે છે ડોક્ટરના અનુભવના કારણે સુરતમાં ફાયદો થયાનો દાવો કરાઈ રહ્યો છે.