ગુજરાતમાં કોરોના વાયરસના કેસ હવે 800થી 1000ની વચ્ચે નોંધાઇ રહ્યા છે. ત્યારે આજે 842 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
842 નવા કેસ સામે 598 દર્દીઓ થયાં સાજા
અમદાવાદમાં કોવિડના સૌથી વધુ 244 કેસ
રાજ્યમાં હાલ 5714 એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા અને ગાંધીનગર સૌથી વધુ પ્રભાવિત છે. આજે રાજ્યમાં કોરોનાના 842 કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાને માત આપીને કુલ 598 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ 5714 એક્ટિવ કેસ છે, જેમાં 8 દર્દી વેન્ટિલેટર પર છે. બાકીના તમામ સ્ટેબલ છે. આજે રાહતના સમાચાર એ છે કે એકપણ કોરોનાના દર્દીનું મૃત્યુ થયું નથી.
મહેસાણા જિલ્લામાં અચાનક કેસ વધ્યા
પરંતુ ચિંતાના સમાચાર પણ છે કે મહાનગરોની જેમ મહેસાણા જિલ્લાને પણ કોરોનાએ બાનમાં લીધો છે. આજે મહેસાણામાં 106 કેસ નોંધાયા છે. મહેસાણામાં ગઇકાલે(23 જૂલાઈ 2022)ના રોજ 66 નવા કેસ નોંધાયા હતા. તો 22 તારીખે 49 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં 2000થી વધુ, સુરત અને વડોદરામાં 500થી વધુ, મહેસાણા અને ગાંધીનગરમાં 300થી વધુ, ભાવનગર અને રાજકોટમાં 200થી વધુ કોરોનાના એક્ટિવ કેસ છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદમાં દરરોજ કરતા આજે કેસમાં આંશિક ઘટાડો થયો છે, અમદાવાદ જિલ્લામાં 250 કેસ નોંધાયા છે. તો બીજા નંબરે સૌથી વધુ મહેસાણામાં 106 કેસ નોંધાતા ચિંતા વધી છે. તો વડોદરામાં 86 કેસ, સુરતમાં 80 કેસ, ગાંધીનગરમાં 61 કેસ, કચ્છમાં 33 કેસ, પાટણમાં 29 કેસ, રાજકોટમાં 34 કેસ, ભાવનગરમાં 26 કેસ, બનાસકાંઠામાં 23 કેસ, આણંદમાં 18 કેસ, અમરેલીમાં 17 કેસ, પોરબંદરમાં 13 કેસ, નવસારીમાં 12 કેસ, ખેડામાં 8 કેસ, ભરૂચમાં 7 કેસ, સુરેન્દ્રનગરમાં 6 કેસ, વલસાડમાં 6 કેસ, દ્વારકામાં 5 કેસ, જામનગરમાં 5 કેસ, મોરબીમાં 5 કેસ, તાપીમાં 3 કેસ, અરવલ્લીમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, જુનાગઢમાં એક કેસ, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો છે. તો બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, જામનગર, જૂનાગઢ અને નર્મદામાં આજે એકપણ કેસ નોંધાયો નથી.
તો બીજી તરફ રસીકરણનું અભિયાન પણ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં કુલ 72128 નાગરિકોનુ રસીકરણ થયુ છે. તો અત્યાર સુધી રાજ્યભરમાં રસીના કુલ 11.37 કરોડથી વધુ ડોઝ અપાયા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.66 ટકા પહોંચ્યો છે.
મહત્વનું છે કે, ભારતમાં કોરોનાના 20 હજાર 279 નવા કેસ નોંધાયા છે. તો 36 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1.52 લાખની પાર પહોંચી ગઇ છે.