કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ અત્યાર સુધી 142 કેસ નોંધાયા છે. જ્યારે આજે વડોદરામાં પણ નવા 17 કેસ નોંધાતા કુલ શહેરમાં આંકડો 39નો થયો છે. ત્યારે વડોદરા મનપાએ 22 દર્દીઓની યાદી જાહેર કરી હતી.
રાજ્યમાં ઘેરું બન્યું કોરોના સંકટ
વડોદરામાં એક સાથે 17 નવા કેસ સાથે કુલ 39 કેસ
ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓની યાદી જનહિતમાં જાહેર કરવામાં આવી છે. જેથી જો કોઈ આ દર્દીના સંપર્કમાં આવ્યાં હોય તો આરોગ્ય વિભાગને જાણ કરી શકે.
વડોદરામાં કુલ 39 કેસ
સરકારની પત્રકાર પરિષદ બાદ રાત્રે નવા કેસ આવ્યાં હતાં જેનાથી કુલ રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 280 પર પહોંચ્યો હતો. વડોદરામાં જેમાં નાગરવાડા વિસ્તારમાંથી એકસાથે 17 કેસ આવ્યાં હતાં અને કચ્છમાંથી પણ એક કેસ કોરોના પોઝિટિવ કન્ફર્મ થયો હતો. આમ સરકારની પ્રેસ કોન્ફરન્સ બાદ નવા 18 કેસ આવ્યાં હતાં જેથી રાજ્યમાં 24 કલાકમાં કુલ 94 કેસ જોવા મળ્યાં હતાં. આમ રાજ્યમાં મોડી રાત સુધી કુલ 280 કેસ નોંધાયા છે.
જિલ્લો
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
141
8
6
Amreli
0
0
0
Anand
2
0
0
Aravalli
0
0
0
Banaskantha
0
0
0
Bharuch
0
0
0
Bhavnagar
18
1
2
Botad
0
0
0
Chhota Udaipur
2
0
0
Dahod
1
0
0
Dang
0
0
0
Devbhoomi Dwarka
0
0
0
Gandhinagar
13
2
0
Gir Somnath
2
0
0
Jamnagar
1
0
1
Junagadh
0
0
0
Kutch
3
0
0
Kheda
0
0
0
Mahisagar
0
0
0
Mehsana
2
0
0
Morbi
1
0
0
Narmada
0
0
0
Navsari
0
0
0
Panchmahal
1
0
1
Patan
12
0
1
Porbandar
3
0
0
Rajkot
13
4
0
Sabarkantha
1
0
0
Surat
25
5
4
Surendranagar
0
0
0
Tapi
0
0
0
Vadodara
39
6
2
Valsad
0
0
0
TOTAL
280
26
17
એક ડોક્ટર પણ કોરોના પોઝિટિવ
નોંધનીય છે કે, નીલકંઠ હોસ્પિટલના ડોક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દી ડોક્ટર આર.વી દેસાઇ રોડનો વતની છે. પોઝિટિવ ડોક્ટર ગોધરાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. વાડી વિસ્તારમાં આવેલ નીલકંઠ હોસ્પિટલમાં કામ કરતો હતો. આમ શહેરમાં અત્યાર સુધી કુલ 22 કેસ નોંધાયા છે. જેમાંથી 6 સાજા થયા છે અને 2 લોકોના અત્યાર સુધી મોત થયા છે.
વડોદરાના 2 વિસ્તાર કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરાયા
રાજ્યના વડોદરામાં કોરોના પોઝિટિવ સંખ્યામાં વધારો જોતાં તંત્ર દ્વારા શહેરના બે વિસ્તાર નાગરવાડા અને તાંદલજાને રેડજોન જાહેર કરવામાં આવ્યાં છે. આ સાથે તંત્રએ તાંદલજાને રેડ જોન જાહેર કરી કલસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કર્યો છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર તાંદલજા વિસ્તારને એટલા માટે રેડ જોન જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે ત્યાંના લોકો નાગરવાડાના કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં હતા. જેમાં જેને લઇને 1900 ઘરમાં રહેતા 7 હજાર લોકોને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યાં છે. આ અંગેનો નિર્ણય તંત્ર ઉચ્ચસ્તરીય યોજાયેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે.