સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 179 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે કોરાનાના વધુ 179 કેસ નોંધાયા
આજે કોરોનાને રાજ્યમાં વધુ 2 દર્દીઓના મૃત્યુ
અમદાવાદમાં કોરોનાના 61 કેસ નોંધાયા
રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 49એ પહોંચ્યા
રાજ્યમાં ગઇકાલે 98 તો આજે નવા 179 કોરોનાના કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં 34 દર્દીઓ સાજા થયા છે, રિકવરી રેટ 98.68 ટકા છે, એક્ટિવ કેસ 837 છે. તો રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 49એ પહોંચ્યા છે.
કયા જિલ્લા-શહેરમાં કેટલા કેસ?
અમદાવાદ શહેરમાં 61, સુરત શહેરમાં 20, આણંદમાં 18, વડોદરા શહેરમાં 14, રાજકોટ શહેરમાં 13, સુરત જીલ્લામાં 9, નવસારીમાં 5, બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા છે. તો જુનાગઢમાં 3, કચ્છમાં 3, વલસાડમાં 3, અમદાવાદ જિલ્લામાં 2, અમરેલીમાં 2, ભરૂચમાં 2, ગાંધીનગર શહેરમાં 2, જામનગર શહેરમાં 2, જુનાગઢ શહેરમાં 2, રાજકોટ જિલ્લામાં 2, વડોદરા જિલ્લામાં 2, ભાવનગ શહેરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગર જિલ્લામાં 1, ગીર સોમાનાથમાં 1, મહેસાણામાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
કયા જિલ્લામાં કેસ નહીં?
અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર ગ્રામ્ય, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, પાટણ, સાબરકાંઠા અને તાપીમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં આજે ઓમિક્રોનના કુલ 6 કેસ નોંધાયા,જાણો કયા જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા ઓમિક્રોનના કેસ નોંધાયા..
રાજ્યમાં આજે ઓમિક્રોનના કુલ 6 કેસ નોંધાયા છે. રાજકોટમાં 1 કેસ, ખેડામાં 3 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં વધુ 2 ઓમિક્રોન કેસ નોંધાયા છે. અમદાવાદના બંને કેસમાં ટ્રાવેલ હિસ્ટરી નહીં. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 49એ પહોંચ્યા છે.તો અત્યાર સુધીમાં 10 લોકો થયા ઓમિક્રોનમુક્ત થયા છે. જ્યારે વડોદરામાં કુલ 17, અમદાવાદમાં 11 કેસ, ખેડામાં 6, આણંદ 4, જામનગરમાં 3 કેસ, મહેસાણા 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 કેસ, રાજકોટ જિલ્લામાં હાલ 2 ઓમિક્રોન કેસ છે. તો બનાસકાંઠામાં 1 કેસ નોંધાયો છે.
અમદાવાદ-11
જામનગર- 3
સુરત-2
મહેસાણા-3
વડોદરા-17
આણંદ-4
રાજકોટ-2
ગાંધીનગર-1
ખેડા-6
બનાસકાંઠા-1
ગઇકાલે(24-12-2021)એ કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા હતા?
રાજ્યમાં ગઇકાલે વધુ 98 કેસ નોંધાય હતા. કોરોનાને માત આપીને 69 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. તો કોરોનાગ્રસ્ત 8 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાને કારણે અમદાવાદ, જામનગર અને પોરબંદર જિલ્લા એકએક એટલે કે રાજ્યમાં વધુ 3 દર્દીઓનું મૃત્યુ થયુ હતું.
જો કોરોનાના જિલ્લા પ્રમાણેના આંકડા પર નજર કરીએ તો આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 32 કેસ નોંધાયા, સુરતમાં 19 કેસ, વડોદરામાં 12 કેસ, રાજકોટમાં 10 કેસ, કચ્છમાં 6 કેસ, વલસાડમાં 5 કેસ, ખેડામાં 3 કેસ નોંધાયા, ગાંધીનગરમાં 2 કેસ, જુનાગઢમાં પણ 2 કેસ દાખલ થયા છે. બીજી તરફ નવસારીમાં 2 કેસ, સાબરકાંઠામાં 2 કેસ, ભાવનગરમાં એક કેસ ગીર સોમનાથ અને જામનગરમાં એક-એક કેસ નોંધાતા ફરી કોરોનાએ માથું ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે.