ભારત સહિત ગુજરાતમાં જ્યાં કોરોનાના કેસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના હજુ પણ કેટલાક જિલ્લાઓ છે જ્યાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેમ કે બોટાદ જિલ્લાની વાત કરીએ તો હજુ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
બોટાદ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નહીં
તંત્ર દ્વારા કરવામાં આવી છે તમામ પ્રકારની વ્યવસ્થા
બોટાદમાં આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય
બોટાદમાં હજુ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. એક શંકાસ્પદ વ્યક્તિની ભાવનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બોટાદમાં તંત્ર દ્વારા તમામ પ્રકારથી વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કે હવે બોટાદ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારી કચેરીમાં હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં જિલ્લાના ડૉક્ટર સહિતના સ્ટાફની પ્રથમ પસંદગી કરાશે. જ્યારે બીજી તરફ લોકડાઉન હોવાથી લોકોને ઘરમાં શાકભાજી અને કરિયાણાની ડિલીવરી કરવામાં આવી રહી છે.
ત્યારે હોલસેલના વેપારીઓની ફરિયાદ બાદ હવે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. હવે અઠવાડિયામાં રવિવારે અને બુધવારે બે દિવસ જ જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રહેશે. જેમાં સવારે / થી 10 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે.