ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનલોક1માં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કોરોનો વધતો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લામાં એકસાથે 10 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. આ અગાઉ ભરૂચમાં પણ આજે એકસાથે 9 કેસ સામે આવ્યાં છે. આમ રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો એક ચિંતાનું કારણ છે.
અમરેલી જિલ્લામાં વધતો જતો કોરોનાનો કેર
જિલ્લામાં વધુ 10 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકો ચિંતિત
અમરેલી જિલ્લામાં પણ સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આજરોજ જિલ્લામાં વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમેરેલી શહેરમાં પાંચ વધુ કેસ નોંધાયા છે.
જિલ્લાની વાત કરીએ તો હજીરાધાર, લાઠી, નારાયણ નગરમાં 1-1 પોઝિટિવ કેસ નોધાયો છે. અમરેલી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા કુલ 80 સુધી પહોંચી છે. જ્યારે 6 લોકો કોરોનાના કારણે મૃત્યું પામ્યા છે. હાલ અમરેલી જિલ્લામાં 41 કેસ એક્ટિવ છે.
ભરૂચમાં કોરોના સંક્રમણનો કહેર વધ્યો
ભરૂચમાં કોરોના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 9 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 2,વાગરમાં 1, અને જબુંસરમા 1 કેસ સામે આવ્યો છે. ભરૂચમા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના 219 કેસ નોંધાયા છે. જ્યારે આજે 2 વ્યક્તિઓના મૃત્યું થયા છે. ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કુલ 13 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
ગુજરાતમાં ગઇકાલ રાતના આંકડાની વાત કરીએ તો કોરોનાના દર્દીઓનો આંકડો 31 હજાર 397એ પહોંચ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી 22 હજાર 808 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી 1809 લોકોના મૃત્યું થયા છે. હાલમાં કોરોનાના 6780 એક્ટિવ કેસ છે. હાલમાં 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 6709 દર્દીઓની હાલત સ્થિર છે.