ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં હજુ પણ અમદાવાદના પ્રજામાં સતર્કતા જોવા મળી રહી નથી. હાલમાં શહેરના જમાલપુર માર્કેટમાં શાકભાજી ખરીદવા ભીડ જોવા મળી રહી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ તો જોવા મળી રહ્યો છે, આ સાથે વેપારીઓએ પણ માસ્ક પહેર્યાં નથી. ત્યારે હવે સવાલ એ થાય છે કે રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્ર આ ભીડ રોકવા કેમ કોઇ કાર્યવાહી કરી રહ્યું નથી?
કોરોનાકાળમાં સતર્કતાથી નથી વર્તી રહ્યા લોકો
જમાલપુર માર્કેટમાં શાકભાજી ખરીદવા ઉમટી પડ્યા લોકો
જમાલપુર માર્કેટમા સામાજિક અંતરનો અભાવ
અમદાવાદ જિલ્લા તેમજ શહેરમાં કોરોના એક તરફ બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં આવેલી જમાલપુરની શાકભાજી માર્કેટમાં લોકોમાં સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો.
આમ કોરોનાકાળમાં સતર્કતાથી લોકો વર્તી રહ્યાં નથી. શહેરની જમાલપુર માર્કેટમાં શાકભાજી ખદીવા લોકોની ભીડ જોવા મળી. જ્યારે શાકભાજીના વેપારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યાં.
આમ રાજ્યમાંથી કોરોનાકાળ આ રીતે પૂર્ણ થશે નહીં. જો પ્રજામાં સતર્કતા જોવા નહીં મળે તો પોઝિટિવ કેસોની સંખ્યામાં હજુ પણ વધારો જોવા મળશે. ત્યારે આટલી ભીડ એકઠી થઇ રહી છે ત્યારે તંત્ર પર સવાલ ઉભા થઇ રહ્યાં છે.
જમાલપુર માર્કેટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડની વાતનો છેદ ઉડી ગયેલો જોવા મળ્યો. મોટાભાગના વેપારીઓ પાસે હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ નથી.