ગુજરાતમાં આજે 17119 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 5998 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોના વધવાનું કારણ શું? નિષ્ણાંતોએ જાણો શું કહ્યું.
દેશમાં કોરોના મામલે અમદાવાદ ચોથા ક્રમે
અમદાવાદમાં પોઝિટિવિટી રેશિયો ચિંતાજનક સ્તરે
100માંથી 21 લોકો પોઝિટિવ થાય છે
રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવી મળી રહ્યો છે. તેમાં સૌથી વધારે દૈનિક કોરોના કેસો અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. બીજી લહેરની જેમ આ વખતે પણ કોરોના કેસોમાં થતા ઉછાળામાં અમદાવાદ અવલ્લ નંબરે છે. અમદાવાદમાં કોરોના ટેસ્ટ કરાવનાર 100 લોકોમાંથી 21 જેટલા લોકો પોઝિટિવ મળી આવે છે. જેથી અમદાવાદનો પોઝિટિવિટી રેશિયો ખૂબ ઉંચો આવ્યો કહેવાય. સમ્રગ રાજ્યમાં કેમ અમદાવાદ જ કોરોનાનું ઘર કેમ બને છે ?
ખરેખરમાં આ કેસોનો આંકડો 30 હજારથી વધુ હોવો જોઈએ
દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કોરોના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ કોરોના કેસના મામલે દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં ચોથા નંબરે છે. જે આપણા સૌ માટે ચિંતાજનક સમાચાર કહેવાય. રાજ્યમાં સૌથી વધુ કોરોના કેસ અને પોઝિટિવિટી રેશિયો અમદાવાદમાં છે. છતા પણ સરકાર કે આરોગ્ય તંત્ર પાસે કોરોના કેસોનું ચોક્કસ આંકડો મળી નથી રહ્યો છે. તેનું કારણ જણાવતા નિષ્ણાંતો કહે છે કે ઓમિક્રોનના લક્ષણો ખૂબ જ સામાન્ય હોવાથી લોકો હોમ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરે છે. જો પોઝિટિવ આવે તો આરોગ્ય વિભાગને જાણ કર્યા વગર પોતાની જાતે દવાઓ લે છે. બહાર ફરવાના કારણે બીજા લોકો પણ અજાણે સંક્રમિત થાય છે. જેના કારણે ગુજરાતમાં રોજ 10 હજાર જેટલા કેસો આવે છે. તે ખરેખરમાં 30 હજારથી વધુ હોવા જોઈએ.
નવા વેરિયન્ટનો મ્યૂટન્ટ વધારે સબળો
કોરોનાની બંને લહેરમાં કરતા આ વખતે કોરોનાનું સંક્રમણ વાયુ વેગે ફેલાઈ રહ્યું છે. જેના કારણે ઈન્ફેક્ટિવિટી રેશિઓ અગાઉની લહેર કરતા 5 ટકા જેટલો વધારે છે. આ નવા વેરિઅન્ટમાં નબળો હોવાથી તેના લક્ષણો પણ સામાન્ય છે. પરંતુ મ્યૂટન્ટ વધારે સબળો હોવાથી સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બીજી અને પહેલી લહેરની જેમ સંક્રમણની અસર ફેફસાં કે ઓક્સિજન લેવલ પર પડતી નથી. જેના કારણે લોકો ચિંતામુક્ત થઈ હરી ફરી રહ્યા છે. ઘણી વાર એમ લાગે છે કે લોકોને હવે જીવ બચાવવા કરતા જીવવામાં વધારે આનંદ આવી રહ્યો છે.
RT-PCRમાં પોઝિટિવિટી રેશિયો 30 ટકાને પાર
અમદાવાદમાં છેલ્લા 15 દિવસથી કોરોના કેસો શેર માર્કેટના ટ્રેડિંગની જેમ ઉછાળા મારી રહ્યા છે. જેને ધ્યાનામાં રાખીને AMCનું આરોગ્ય તંત્ર સાબદું થઈને ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર મહત્તમ ધ્યાન આપી રહ્યું છે. શહેરમાં RT-PCRમાં પોઝિટિવિટી રેશિયો 30 ટકાને પાર પહોંચ્યો છે. ગઈકાલે 17 હજાર 500 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે 5 હજાર 500 જેટલા રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ AMC સંચાલિત હોસ્પિટલોમાં 65 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પીક પર હશે કોરોના
નિષ્ણાંતોના મત અનુસાર ઓમિક્રોનની જેટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના કારણે જાન્યુઆરીના અંત અને ફ્રેબુઆરી મહિનાની શરૂઆતમાં કોરોના કેસો પીક પર હશે. બીજી લહેર જેટલો તાંડવ કોરોના ફરી નહીં કરે અને ધીરે ધીરે ફરી સંક્રમણ ડાઉન ફોલ કરશે. પરંતુ લોકો, સરકાર અને આરોગ્ય તંત્ર માનવીના જીવની કિંમત સમજીને જાતે જ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. સાથે પ્રસંગો, રાજકીય-સામાજીક-ધાર્મિક મેળાવળાઓમાં સભાનતા રાખીને ઓછી સંખ્યાઓમાં લોકોને આમંત્રિત કરવા જોઈએ. માસ્ક અને સામાજિક અંતરનું ધ્યાન રાખવું જોઈએ. જેથી કરીને કોઈના દુખનું કારણ આપણે ન બનીએ.