ગુજરાતમાં મંગળવારે(5 જુલાઈ 2022)ના રોજ 572 નવા કોરોનાના કેસ નોંધાતાની સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 3595 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં નવા 572 કોરોનાના કેસ
રાજ્યમાં હાલ 3595 એક્ટિવ કેસ
અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ સંક્રમણ
ગુજરાતમાં કોરોનાના કેસની ગતિ વધી રહી છે. દરરોજના 400થી વધુ નોંધાઈ રહેલા કોરોનાના કેસ એક્ટિવ કેસની સંખ્યા પણ વધારી રહ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3595 પર પહોંચી ગઈ છે. જોકે 3594 દર્દીઓ સ્ટેબલ છે અને 1 દર્દી જ વેન્ટિલેટર પર છે. ત્યારે જાણો કયા જિલ્લામાં હાલ કેટલા એક્ટિવ કેસ છે.
કયા જિલ્લામાં 100થી વધુ કેસ?
રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં હાલ કોરોનાની સ્થિતિ બેકાબૂ થતી નજરે પડી રહી છે. દરરોજના કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને આ જિલ્લાઓમાં કોરોનાના એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 1564 એક્ટિવ કેસ છે. તો સુરતમાં 673, વડોદરામાં 303, ગાંધીનગરમાં 160, વલસાડમાં 138 અને મહેસાણામાં 115 એક્ટિવ કેસ છે.
ગુજરાતના 3 જિલ્લામાં શૂન્ય '0' કેસ
છોટા ઉદેપુર, ડાંગ અને નર્મદામાં આજે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. તો આ જિલ્લાઓમાં હાલ એકપણ એક્ટિવ કેસ પણ નથી.
District
Active Cases
Ahmedabad
1564
Amreli
4
Anand
15
Aravalli
6
Banaskantha
10
Bharuch
37
Bhavnagar
94
Botad
1
Chhota Udaipur
0
Dahod
5
Dang
0
Devbhoomi Dwarka
10
Gandhinagar
160
Gir Somnath
8
Jamnagar
59
Junagadh
1
Kutch
66
Kheda
7
Mahisagar
2
Mehsana
115
Morbi
40
Narmada
0
Navsari
89
Panchmahal
3
Patan
44
Porbandar
11
Rajkot
98
Sabarkantha
15
Surat
673
Surendranagar
13
Tapi
4
Vadodara
303
Valsad
138
Total
3595
7 જુલાઈ 2022ના રોજ નોંધાયેલા કોરોનાના કેસ
મંગળવારે નવા કોરોનાના વધુ 572 કેસ નોંધાયા હતા. તો 498 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 1 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી.
15 દિવસમાં 6257 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 20 જુનથી 4 જુલાઇ સુધીમાં 6257 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 520 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
સાજા થવાનો દર 98.82 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10948 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 67,825 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.16 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.82 ટકા પહોચ્યો છે.