ગુજરાતમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું છે. આજે રાજ્યમાં કોરોનાના વધુ 45 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી એક દર્દીનું મૃત્યું થયું છે.
ગુજરાતમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યુ
આજે રાજ્યમાં કોરોનાના વધુ 45 કેસ નોંધાયા, 1નું મોત
રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 26 દર્દી ડિસ્ચાર્જ
ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાના કેસમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 45 કેસ નોંધાયા છે, તો 26 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 293 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 8 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.
આજે કોરોનાથી એક દર્દીનું મોત
જ્યારે આજે આણંદમાં કોરોનાને કારણે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ રાજ્યભરમાં અત્યાર સુધી 10093 મૃત્યુ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 817134 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ?
અમદાવાદ શહેરમાં આજે કોરોનાના વધુ 11 કેસ, ભરૂચમાં 7 કેસ, વડોદરામાં 5 કેસ, ગાંધીનગરમાં 4 કેસ, સુરતમાં 4 કેસ, કચ્છમાં 3 કેસ, નવસારીમાં 2 કેસ, રાજકોટમાં 2 કેસ, વલસાડમાં 2 કેસ, આણંદમાં એક કેસ, ભાવનગરમાં 2 કેસ, જામનગર અને ખેડામાં એક-એક કેસ નોંધાયા છે. તો રાજ્યભરમાં આજે 4.26 લાખ નાગરિકોનું રસીકરણ થયુ છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.14 કરોડથી વધુ ડોઝ અપાયા છે.
ગુજરાતના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતા યાત્રી માટે કેન્દ્રએ ઘડ્યા નિયમો
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરના મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેન્દ્રએ નિયમો બનાવ્યા છે. મુસાફરોનું આરોગ્યકર્મીની હાજરીમાં થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત કરવા આદેશ કરાયો છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો હશો તો મુસાફરોને આઈસોલેટ કરવામાં આવશે. આઈસોલેશન માટે જિલ્લા આરોગ્ય વિભાગને જવાબદારી આપી છે. મુસાફરો આઈસોલેશન માટે ખાનગી સુવિધાઓ મેળવી શકશે. મુસાફર કોરોનાગ્રસ્ત હશે તો નિયમ અનુસાર નોંધણી કરવા સુચન કરાયું છે. કોરોના સંદર્ભે જોખમી 12 દેશોની યાદી જાહેર કરાઈ છે. જેમાં યુરોપિયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાજિલ, બાંગ્લાદેશનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તમામ બહારથી આવતા મુસાફરોનો રિપોર્ટ કરવાનો રહેશે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો
એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 6 હજાર 990
એક દિવસમાં દેશમાં કોરોનાથી 10 હજાર 116 દર્દી સ્વસ્થ